SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ સાધુસમસ્યદ્વાચિંશિકા/બ્લોક-૧૪ વળી ભિક્ષા ગ્રહણકાળમાં સાધુ સર્વ જીવો પ્રત્યે સમભાવવાળા હોવાથી દાયકને પીડા ન થાય તેવી યતના કરે છે. વળી જે ભિક્ષા ગ્રહણ કરે છે તે ભિક્ષા પોતાના માટે કરેલી ન હોય, પોતાના માટે કરાવાયેલી ન હોય અને પોતાના માટે સંકલ્પિત ન હોય તેવી ભિક્ષા ગ્રહણ કરે છે. વળી આ ભિક્ષા કોઈ શ્રાવક-શ્રાવિકા સામેથી લાવે તેવી પણ ગ્રહણ કરતા નથી. તે નિવત્ શબ્દથી ગ્રહણ કરેલ છે, કેમ કે કૃત, કારિત, કલ્પિત, દોષરહિત પિંડ હોય તોપણ સામેથી લાવેલ હોય તો અભ્યાહત દોષની પ્રાપ્તિ છે, અને કોઈ શ્રાવક-શ્રાવિકા સાધુના વંદન માટે આવતા હોય તો તેઓનું વંદનાર્થે આગમન હોવાને કારણે સાધુઅર્થે પિંડઆનયન પ્રાસંગિક છે, તેથી અભ્યાહત દોષ ન લાગે તોપણ સાધુ અર્થે લાવેલી ભિક્ષામાં માળ ઉપરથી લાવેલ હોય કે અન્ય અયતનાપૂર્વક ગ્રહણ કરેલ હોય તે સર્વ દોષોને પ્રસંગ આવે, તેથી સાધુ સામેથી લાવેલી ભિક્ષા ગ્રહણ કરે નહિ, પરંતુ સ્વયં ભ્રમરની જેમ અટન કરીને ભિક્ષા ગ્રહણ કરે. I૧૩IL અવતરણિકા : શ્લોક-૧૩માં સાધુ કેવી ભિક્ષા ગ્રહણ કરે, તેનું સ્વરૂપ બતાવીને તેવી ભિક્ષાથી સાધુ સામર્થ્યને પામે છે, તેમ બતાવ્યું. ત્યાં કોઈ શંકા કરતાં કહે છે – શ્લોક : नन्वेवं सद्गृहस्थानां गृहे भिक्षा न युज्यते । अनात्मम्भरयो यत्नं स्वपरार्थं हि कुर्वते ।।१४।। અન્વયાર્થ : “નનું થી શંકા કરે છે - આ રીતે શ્લોક-૧૩માં કહ્યું એ રીતે, સંકલ્પિત પિંડનું અગ્રાહ્યપણું હોતે છતે, સદસ્થાનાં સદ્દગૃહસ્થોના દે ઘરમાં મિક્ષા (સાધુને) ભિક્ષા ન ઘટે નહિ. દિ=જે કારણથી મનાત્મશ્નરયોઅનાત્મભરી=એકલપેટા નહિ એવા સદ્ગૃહસ્થો વપરાર્થ-સ્વ-પર માટે અન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy