SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧ કરી શકે. માટે ઘટના અર્થીને પ્રમેયત્વે ઘટ:' નું જ્ઞાન ઘટમાં પ્રવૃત્તિ કરાવી શકતું નથી, પરંતુ ‘ઘટવૅન ઘટ:' નું જ્ઞાન ઘટમાં પ્રવૃત્તિ કરાવી શકે છે. તે જ રીતે પ્રસ્તુતમાં કોઈ વ્યક્તિ પ્રમેયત્વેન પેઇ' ભગવાનની બાહ્ય સંપદા જાણે છે ત્યારે તે બાહ્યસંપદામાં રહેલું મહત્ત્વ પ્રમેયસ્વરૂપે તેને જણાય છે. તેથી ત્યાં ‘પ્રમેયત્વેન રૂપે' મહાનપણાની બુદ્ધિ થવા છતાં લોકો કરતાં આ મહાન છે” તે રૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. તેથી લોકો કરતાં આ મહાન છે” તે રૂપ ફળપ્રાપ્તિ માટે વિશેષરૂપે મહત્ત્વપ્રકારકત્વના નિવેશની આવશ્યકતા રહે છે અર્થાત્, ‘મહત્ત્વ–ને મહત્ત્વ જ્ઞાન' આવશ્યક છે, અને ‘મહત્ત્વવેન મહત્ત્વDારજ્ઞાન' ત્યારે જ થઈ શકે કે જ્યારે આવું મહત્ત્વ સામાન્ય જીવોમાં નથી, પરંતુ આ પુરોવર્સી માયાવી પુરુષમાં છે, આવું જ્ઞાન થાય; અને મહત્ત્વના મહત્ત્વપ્રશ્ન| રજ્ઞાન' પુરોવર્સી માયાવીમાં ન થાય, ત્યારે આવો વિશેષ બોધ થતો નથી; પરંતુ પુરોવર્સી માયાવીની માત્ર બાહ્યસંપદા દેખાય છે, અને તે વખતે જ્ઞાનના વિષયરૂપે માત્ર બાહ્યસંપદા બને છે. તેથી તે બાહ્ય સંપદાનું જ્ઞાન માત્ર પ્રમેયરૂપે થાય છે, પણ મહત્ત્વવરૂપે થતું નથી. આનાથી એ ફલિત થાય કે ‘પ્રમેયત્વેન જ્ઞાન સામાન્યરૂપે હોવાથી પ્રવૃત્તિનું જનક બનતું નથી, પરંતુ વિશેષરૂપેઇ' જ્ઞાન આવશ્યક છે. તેથી બાહ્ય સંપદાનું જ્ઞાન પણ માત્ર પ્રમેયત્વરૂપેળ' હોય તો મહત્ત્વબુદ્ધિ ઉત્પન્ન કરાવી શકતું નથી, પરંતુ “જગતમાં અન્ય વ્યક્તિઓ કરતાં આ વ્યક્તિ વિશેષ છે કે જેમનામાં આવી સર્વોત્કૃષ્ટ સંપદા છે.' એવું જ્ઞાન જ્યારે થાય ત્યારે તે બાહ્ય સંપદા વ્યક્તિવિશેષવિષયત્વેન’ મહત્ત્વબુદ્ધિને ઉત્પન્ન કરી શકે છે, અને તે રીતે માયાવીમાં પણ બાહ્ય સંપદા જોતાં એવો ભાસ થાય કે “આ વ્યક્તિ વિશેષ છે. કે જેનામાં આવી અદ્ભુત સંપદા છે.' તેથી એ પ્રાપ્ત થયું કે અન્ય સામાન્ય જીવો કરતાં માયાવી પણ વ્યક્તિવિશેષ છે, તેમ વિચારકને જણાય છે, માટે માયાવીમાં રહેલી તે બાહ્ય સંપદા પણ વ્યક્તિવિશેષવિષયક બનશે. માટે વ્યક્તિવિશેષવિષયક એવી બાહ્ય સંપદા દ્વારા તીર્થકર ભગવાનના વિભુત્વનું અનુમાન કરીએ તો માયાવીને પણ વિભુ માનવાનો અતિપ્રસંગ નહીં આવે એમ કહી શકાય નહીં, કેમ કે પ્રમેયરૂપે મહત્ત્વબુદ્ધિથી માયાવીમાં થતી મહત્ત્વબુદ્ધિ કરતાં જુદી એવી “આ વ્યક્તિ મહાન છે' તેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004664
Book TitleJina Mahattva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy