SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ઉત્થાન : અહીં બૌદ્ધ કહે કે દેવદત્તની બંધક્ષણ અને દેવદત્તની મોક્ષલણ જુદી હોવા છતાં દેવદત્તની દરેક ક્ષણોમાં ઉત્તર ઉત્તર ક્ષણનું કુર્વિદ્રપત્વ છે. તેથી દેવદત્ત સાધના કરે તો મોક્ષક્ષણનું કુર્ઘદ્રપ– યજ્ઞદત્તની મોક્ષની પૂર્વેક્ષણમાં આવી શકે નહિ. માટે મોક્ષપ્રવર્તક અવિદ્યાથી દેવદત્તની પોતાની મોક્ષક્ષણનું પ્રવર્તકપણું થઈ શકે, પરંતુ યજ્ઞદત્તની મોક્ષક્ષણનું પ્રવર્તકપણું થઈ શકે નહિ; કેમ કે યજ્ઞદત્તના મોક્ષક્ષણનું કુર્વિદ્રુપત દેવદત્તની ક્ષણમાં નથી. તેને ગ્રંથકાર કહે છે – અનુવાદ - દૂત્વ....થયા નો, - કુર્ઘદ્રપત્ર જાતિ માનતાં સાંકર્ય થાય, કેમ કે કારણને કાર્યની સાથે વ્યાપ્યપણું છે. તેથી એક વખતે ઉભક્ષણ થવી જોઈએ અર્થાત્ એક વખતે કાર્યક્ષણ અને કારણક્ષણ પ્રાપ્ત થવી જોઈએ. ભાવાર્થ - નિશ્ચયનયથી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક ક્ષણમાં છે, અને બોમ્બે કુર્વદ્રુપતથી સમાધાન કર્યું તેથી એ પ્રાપ્ત થાય કે, દેવદત્તમાં જે કાર્યને અનુકૂળ એવી ક્રિયા છે તે કુવૈદ્રપત્વ છે, અને તેમ સ્વીકારીએ તો જે ક્ષણમાં ક્રિયા છે તે જ ક્ષણમાં કાર્ય માનવું પડે. જેમ કરવતથી લાકડાં કાપવાની ક્રિયા જે ક્ષણમાં કરવામાં આવે તે ક્ષણમાં જેટલી ક્રિયા થાય તેટલું લાકડાં કાપવારૂપ કાર્ય થાય; અને જો તેમ ન સ્વીકારતા પૂર્વેક્ષણમાં ક્રિયા અને ઉત્તરક્ષણમાં કાર્ય માનીએ, તો લાકડાં કાપવાની ક્રિયા જ્યારે થતી નથી ત્યારે પણ કાર્ય થાય છે, એમ માનવું પડે. તેથી લાકડાં કાપવાની ક્રિયા જ્યારે કરી નથી ત્યારે પણ લાકડું કપાવવું જોઈએ. પરંતુ તેમ થતું નથી, તેથી જે ક્ષણમાં કાપવાની ક્રિયા છે તે જ ક્ષણમાં કાર્ય થાય છે. અને તે નિયમ પ્રમાણે કુવૈશ્નપત્રરૂપ કારણ કાર્યની સાથે વ્યાપ્ય છે, માટે એક જ ક્ષણમાં કારણ અને કાર્ય માનવાં જોઈએ. અને તેમ માનીએ તો દેવદત્તની જે ક્ષણમાં કુર્ઘદ્રપત્વ છે, તે જ ક્ષણમાં તેનું કાર્ય થાય છે તેમ માનવું પડે. અને તેમ સ્વીકારીએ તો બૌદ્ધ પૂર્વેક્ષણમાં ઉત્તરક્ષણનું કુર્ઘદ્રપત્વ છે, તેમ કહે છે; તેને બદલે જે ક્ષણમાં કુર્ઘદ્રપદ્રવ છે, તે જ ક્ષણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy