SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર અંકુરજનકક્ષણવાળું બીજ જુદુ હોવા છતાં, બીજના આકારરૂપે સદશની પ્રતીતિ થવાથી, પૂર્વક્ષણના બીજ અને ઉત્તરક્ષણના બીજમાં અભેદનું જ્ઞાન થાય છે. તેથી આ તે જ બીજ છે જે પૂર્વેક્ષણમાં હતું, એ પ્રકારનો વ્યવહાર થાય છે. વસ્તુતઃ તે બંને બીજો જુદાં છે. • અહીં મંદિર માં ગાર' પદથી પરિનું ગ્રહણ કરવું, અને વીજ્ઞાતિ માં વિર્ય પદથી “મૃતરિ’ નું ગ્રહણ કરવું. શંકરાિનવનિનત્વરિ અહીં મારે પદથી અંકુરજનકક્ષણની પૂર્વની ક્ષણ જે અંકુરજનકક્ષણની જનક છે અને અંકુરક્ષણની અજનકક્ષણ છે, તેનું ગ્રહણ કરવું. મેવરિ અહીં ‘રિ’ પદથી અભેદના વ્યવહારનું ગ્રહણ કરવું. ઉત્થાન : અનિત્યનયનો પક્ષપાતી એવા બૌદ્ધો નિત્યપક્ષમાં દૂષણ આપે છે તે બતાવ્યું. હવે નિત્યવાદમાં જેઓ પક્ષપાતી છે, તેઓ અનિત્યનયમાં કઇ રીતે દૂષણ આપે છે, તે બતાવે છે - અનુવાદ : ને નિત્યવાવમાંદિ....રિંત માંગફુ છટ્ટ - જે નિત્યવાદમાં રાતા છે, તે અનિત્યનયના ઘાતી છે. એકાંત નિત્ય આત્માદિ માને છે. પરસ્પર તે બે હાથી= અનિત્યવાદી બૌદ્ધરૂપ હાથી અને નિત્યવાદીરૂપ હાથી, પરસ્પર લડે છે, અને લડતા પોતાના કર=સુંઢ, અને દાંત ભાંગે છે. ભાવાર્થ : એકાંત નિત્યવાદને માનનાર નિત્યવાદના રાતા=પક્ષપાતી છે, અનિત્યનયને માનનાર બૌદ્ધ છે તેનું ખંડન કરે છે, અને આત્માદિ પદાર્થોને એકાંત નિત્ય માને છે આ રીતે એકાંત નિત્યવાદી અને એકાંત અનિત્યવાદીરૂપ બંને હાથીઓ પરસ્પર લડ્યા કરે છે. જેમ બળવાન એવા બંને હાથીઓ પરસ્પર લડીને ઝૂંડ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy