SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ અર્થાત્ જ્યારે તે ઘટનો અર્થી છે ત્યારે ઘટના ઉપાયભૂત દંડાદિ કારણમાં કેમ યત્ન કરે છે? ત્યાં પણ તેણે કહેવું જોઈએ કે, જો ઘટ સર્જાયો હશે તો થશે, અને નહિ સર્જાયો હોય તો ગમે તેટલો યત્ન કરવા છતાં પણ ઘટ થશે નહિ. અને એમ માનીને ઘટના અર્થીપણાથી દંડાદિમાં પ્રવૃત્તિ ન કરે તો ઘટની પ્રાપ્તિ થાય નહિ એવો અનુભવ છે. તેથી જે જે કાર્ય પોતાને ઇષ્ટ છે ત્યાં ત્યાં તેના ઉપાયોમાં જેમ તે પ્રવૃત્તિ કરે છે, તેમ જો તે મોક્ષનો અર્થી હોય તો મોક્ષનાં કારણ એવાં જ્ઞાનાદિને પણ ઉપાયરૂપે તેણે સ્વીકારવાં જોઈએ. હત્યાન - બાલાવબોધમાં ગાથા-૧૦૪ ના ઉત્તરાર્ધમાં નો સર્યું બંપ નિસવીસ વ્યમિવારીચું સી રીસ? એ કહ્યું તેનો અર્થ પૂર્વમાં બતાવ્યો. ત્યાર પછી તે જ વાતને વિશેષ બતાવવા માટે બાલાવબોધમાં ૩થવા” થી કહે છે – અનુવાદ : અથવા રિ-......વર છટ્ટ TI૧૦૪T = અથવા શત્રુ, વ્યભિચારી, ચોર, પારદારિક પ્રત્યે શી રીસ છે ? અર્થાત્ તેના પ્રત્યે ગુસ્સો કરવો જોઈએ નહિ. કેમ કે તેઓ તો સર્જ્યો કરે છે. II૧૦૪ : ભાવાર્થ : આ કથન દ્વારા ગ્રંથકારને એ કહેવું છે કે, શત્રુ આદિ પ્રત્યે સમ્પ માનીને દ્વેષ ન કરવો જોઈએ; પરંતુ તેમ તું કરતો નથી, અને આ શત્રુએ મારું અહિત કર્યું તેમ માનીને તે ગુસ્સે થાય છે. તે જ બતાવે છે કે તું કારણને પણ સ્વીકારે છે. માટે જ કહે છે કે શત્રુએ મારું અહિત કર્યું, ત્યાં જેમ કારણને સ્વીકારે છે, તેમ મોક્ષના ઉપાયભૂત ધર્મને કારણરૂપે કેમ સ્વીકારતો નથી ? ૦ ૩થવી.............છરડું છઠ્ઠ | આ લખાણ પૂ. ઉપાધ્યાયજી મહારાજે સ્વહસ્તે લખેલ પ્રતમાં ગાથા-૧૦૪ના બાલાવબોધને છેડે નિશાની કરી એનું અનુસંધાન અથવા............ કરીને હાંસિયામાં મૂકેલું છે. તેથી આવ્યfમવારીચું શી રીસ? એનો અર્થ ગાથા-૧૦૪ના બાલાવબોધમાં જણાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy