SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ મુવીરસો.....૮૫TI - અન્યત્રકચરમપુદ્ગલપરાવર્ત સિવાય અન્ય ઠેકાણે, ગુરુભાવમળના પ્રભાવથી=ઘણા ભાવમળના કારણે, મોક્ષનો આશય પણ થતો નથી. જે પ્રમાણે ગુરુવ્યાધિના–મોટી વ્યાધિના, વિકારમાં સમ્યક્ પય્યનો આશય થતો નથી. IIટપા • “મુવાસો વ’ અહી ‘પિ’ થી એ કહેવું છે કે મોક્ષને અનુકૂળ સાધના તો ન થાય પણ મોક્ષનો આશય પણ થતો નથી. ભાવાર્થ : જે જીવોને સંસારના પરિભ્રમણરૂપ, ભવના કારણભૂત એવા બાહ્ય વિષયોમાં અત્યંત આકર્ષણ છે, એવા ભવાભિનંદી જીવો સ્વમતિ પ્રમાણે મોક્ષ નથી, એ પ્રકારનાં વચનો બોલે છે; અને તેઓ તત્ત્વના પક્ષપાતી નથી, પરંતુ સંસારમાં ભટકવાના કારણના પક્ષપાતી છે. તેથી તેઓ ગુણરહિત છે અને સંસારમાં થતા આરંભ-સમારંભ પ્રત્યે નિઃશૂક હૃદયવાળા છે. અર્થાત્ પાપો પ્રત્યે તેઓને સૂગ નથી, તેથી જ પાપમય એવા સંસાર પ્રત્યે તેઓને આદરભાવ છે. વળી જેઓને મોક્ષની કામના નથી તેઓ ખરાબ મનવાળા છે, અર્થાત્ અસારભૂત એવા સંસારને સારરૂપે જુએ છે, એવી વિપરીત બુદ્ધિવાળા છે. આથી જ તેઓ અભવ્ય કે દુર્ભવ્ય છે, કેમ કે ચરમપુદ્ગલપરાવર્તમાં જેઓ આવે છે તેમને જ મુક્તિની કામના થાય છે, અને તે સિવાયના જીવોને મુક્તિની કામના થતી નથી, પરંતુ મુક્તિ પ્રત્યે દ્વેષ વર્તે છે. તેથી જ તેવા જીવો સ્વમતિ પ્રમાણે મોક્ષ માનવો ઉચિત નથી તેમ વિચારીને સારભૂત એવા પણ મોક્ષને નિઃસારરૂપે જુએ છે. મુવલ્લાસગો અહીં અપાયેલ વિશિકા-૪/રના સાક્ષીપાઠનો ભાવ એ છે કે, જેમ ભારે રોગ હોય ત્યારે જીવને પથ્ય વસ્તુના સેવનનો આશય પણ સમ્યફ થતો નથી, અર્થાત્ અપથ્ય જ તેને પથ્ય તરીકે લાગે છે, તેથી અપથ્યને સેવીને રોગની વૃદ્ધિ કરે છે; તેમ જીવમાં જ્યારે ભારે ભાવમળ વિદ્યમાન હોય, ત્યારે મોક્ષની ઇચ્છા થતી નથી, પરંતુ મોક્ષ નિઃસાર દેખાય છે. આપણા અવતરણિકા : .. पहलां मोक्ष सुखरूप साधइं छइ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy