SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તવિક નથી. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે - અથવા – પૂર્વગાથા-૬૯ માં એ સ્થાપન કર્યું કે પ્રારબ્ધ અદૃષ્ટથી જ્ઞાનીને પણ માયા બાધિતઅનુવૃત્તિરૂપે રહેતી હોય તો કર્મવિલાસ સાચો છે તેમ માનવું પડે, કેમ કે જ્ઞાનીને પણ પ્રારબ્ધકર્મનો નાચ છે. હવે તે પ્રારબ્ધકર્મથી થતો જ્ઞાનીનો પ્રપંચ દગ્દરજ્જુઆકાર નથી, પરંતુ વાસ્તવિક છે તે બતાવતાં કહે છે - ૧૮૭ ચોપઇ : व्यवहारिक आभासिक गणइ, योगी ते छै भ्रम अंग गणइ ( अंगणइ ) । योगि अयोगि शरीर अशेष, स्यो व्यवहार आभासविशेष ।।७० ।। ગાથાર્થ ઃ વ્યવહારિક=વ્યવહારમાં દેખાતા એવા પ્રપંચને, આભાસિક ગણે છે= કાલ્પનિક ગણે છે, તે યોગી ભ્રમના આંગણામાં છે. તે ભ્રમના આંગણામાં કેમ છે તે યુક્તિથી બતાવતાં કહે છે યોગીના અને અયોગીના અશેષ શરીરમાં=બધાના શરીરમાં, વ્યવહાર અને આભાસ વિશેષ શો ? અર્થાત્ એવો વિશેષ નથી. પૂર્વે ગાથા-૪૩ માં પારમાર્થિક, વ્યાવહારિક અને આભાસિક એમ પ્રપંચના ત્રણ ભેદો કહ્યા તે વ્યાવહારિક અને આભાસિક પ્રપંચ અહીં ગ્રહણ કરવાનો નથી, પરંતુ વ્યવહારમાં દેખાતા એવા પ્રપંચને આભાસિક કહીને કાલ્પનિક સ્થાપવા જે પ્રપંચ કરે છે, તે ભ્રમરૂપ છે તેમ કહેવું છે. Ilsoll Jain Education International બાલાવબોધ : जे योगी व्यावहारिक प्रपंचनइ आभासिक गणड़ छड़ ते भ्रमगृहनई अंगणइ रमइ छइ, अन्यनइ अन्य करी जाणवुं तेह ज भ्रम । योगीनुं शरीर ते आभासिक, अयोगीनुं शरीर ते व्यावहारिक, कथनमात्र, सदृशपरिणाम ज छड़, तेइ करी जे एहवुं कहइ छड़ ज्ञानीनड़ क्रोधादिक भाव छड़ ते आभासिक For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy