SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ અનુવાદ : વ્રહ્મળી..... T૭TI - બે બ્રહ્મ જાણવા-(૧) પર અને (૨) અપર. એ પ્રકારના વચનથી વેદમાં બ્રહ્મ પર અને અપર એમ બે ભેદે કહ્યા છે. (વળી) – એક જ અદ્વિતીય બ્રહ્મ છે, અહીં=બ્રહ્મમાં, ભેદ કાંઈ નથી એ પ્રકારના વચનથી ઉપનિષદમાં એક જ બ્રહ્મ કહ્યું છે. તથા (શ્રુતિમાં) માયાની ઉપમાવાળું સકલ જગત છે, એ પ્રકારના વચનથી સર્વ જગત શૂન્યરૂપે પણ કહેલું છે. આ પ્રકારના વેદવચન, ઉપનિષદવચન અને શ્રુતિવચનના પરસ્પર ભિન્ન ભિન્ન કથનમાં જેની જેમ રુચિ તેણે વૈતવાદ, અદ્વૈતવાદ અને શૂન્યવાદને ખરું કરીને જાણ્યું, અને તેને અનુરૂપ જ તે તે વાદી યુક્તિ પણ તેવી જ કહ્યું છે. કળા ભાવાર્થ : વૈતવાદ, અદ્વૈતવાદ અને શૂન્યવાદ નયસાપેક્ષ ઈષ્ટ હોવા છતાં પોતાની રુચિ પ્રમાણે જેને જે રુચ્યું તે એકાંતરૂપે તે તે વાદીઓ સ્વીકારે છે, અને એકાંતે તેનું સ્થાપન કરવા માટે તેને અનુરૂપ યુક્તિઓ પણ તે તે વાદી કલ્પના કરે છે. તે જ રીતે બ્રહ્માદ્વૈતવાદી વેદાંતી પણ શ્રુતિને એકાંતે ગ્રહણ કરીને બ્રહ્માદ્વૈતનું સ્થાપન કરે છે, તેથી તે ઉચિત નથી. વ્યવહારનયથી દૈતવાદ છે, સંગ્રહનયથી અદ્વૈતવાદ છે, એવંભૂતનયથી શૂન્યવાદ છે. અને એવંભૂતનયથી શુન્યવાદ છે એ કથન અનેકાંતવ્યવસ્થા ગ્રંથમાં છે. IIઉછળી ચોપઇ : स्यादवाद विण पणि सवि मृषा, षारइ जलई नवि भाजइ तृषा । माया मिटै रहइ जो अंग, तो किम नहीं परमारथरंग ? ।।६८।। ગાથાર્થ : પણ સ્યાદ્વાદ વગર સર્વ નિજ નિજ નયરુચિ સર્વ, મિથ્યા છે. ખારા જલથી તૃષા તરસ, ભાંગતી નથી, અર્થાત્ એક નયની રુચિ ખારા જલ જેવી છે, તેનાથી તત્ત્વની પ્રાપ્તિરૂપ તૃષાનું શમન તરસનું શમન થતું નથી, પરંતુ સ્યાદ્વાદથી જ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy