SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ વિચાર્યા વગર કરાયેલ કર્મના, વૈફલ્યને કહેનારા સ્થાનમાં જે પ્રવૃત્તિ છે તે મિથ્યાજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ છે; કેમ કે તેવા સ્થાનમાં જીવરક્ષા માટેનો કોઈ સમ્યગુ યત્ન નથી, તેથી જ અવિચારકની જેમ પુરુષને ખલપિડ માનીને તેઓ અગ્નિમાં પકવે છે. માટે મિથ્યાજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિથી અવશ્ય કર્મબંધ થાય છે. આ રીતે બોકડાના માંસથી સંઘભક્તિ કરે છે ત્યાં દોષ નથી એમ કહે છે, ત્યાં પણ મિથ્યાજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ હોવાથી કર્મબંધ થાય છે. રણા અવતરણિકા : ગાથા-૨૭/૨૭માં બૌદ્ધ સ્થાપન કર્યું કે, મનુષ્યને ખલપિંડઃખાદ્ય પદાર્થ માનીને હિંસા કરે કે બોકડાના માંસથી સંઘભક્તિ કરે ત્યાં હિંસા નથી. ગ્રંથકાર તેનું નિરાકરણ કરે છે, અને હવે વાસ્તવિક હિંસા પદાર્થ શું છે તે બતાવીને, તે હિંસા બૌદ્ધના મતમાં ઘટી શકતી નથી, તે બતાવવા માટે કહે છે – ચોપાઈ : हणइ जे परयाय असेस, दुष ऊपा, नई संक्लेश । एह त्रिविध हिंसा जिनकथी, परशासनि न घटइ मूलथी ।।२८।। ગાથાર્થ : (૧) અશેષ પર્યાયનો નાશ કરવો =જીવને મારી નાંખવો, (૨) જીવને દુઃખ ઉપજાવવું, અને (૩) મારવાના અધ્યવસાય કરવારૂપ સંક્લેશ કરવો, એ ત્રણ પ્રકારની હિંસા ભગવાને કહી છે; અને તે પરશાસનમાં-બૌદ્ધશાસનમાં, મૂળથી ઘટતી નથી. ૨૮ બાલાવબોધ - जिन श्रीवीतराग देव तेणई कही हिंसा ३ प्रकारइ छइं- एक मृगादिपर्याय ध्वंस करीई, बीजं तेहनई दुष ऊपजावq, त्रीजुं मनमांहिं संक्लेश कहितां मारवानो भाव, तेह- धरवू । ए त्रिविध हिंसा, एकांत नित्य एकांत अनित्य आत्मा मानइं छइं ते परशासनीनई मूलथी न घटई । मृग मरीनई मृग ज थयो तिहां विसदृश क्षणनो आरंभ किहां छई ? संतानैक्यनी अपेक्षाई વ્યક્ટિવૈરાશ્ય હતાં તો ધ્યેય ૩રાવ, રૂત્યાદિ વિચારવું ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy