SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાના બીજી બાજુ દેખાતી આ દશ્ય સૃષ્ટિ એ જ પરમ સત્ય છે એમ નહિ પણ અદશ્ય એવી દ્રષ્ટાની પણ દિવ્ય સૃષ્ટિ છે અને પ્રત્યેક માનવને એ પરમતત્ત્વના સાક્ષાત્કારનો અબાધિત અધિકાર છે એવો વિશ્વાસ હોવો જોઈએ. તીર્થંકર પરમાત્માના આત્માની ઓળખાણ કયા ગુણોથી થાય? તીર્થંકર પરમાત્માના આત્માની ઓળખાણ નીચેના ગુણોથી થાય. (૧) પરાર્થ રસિકતા (૨) ઉચિત ક્રિયા કરવાવાળો (૩) ગંભીર આશયવાળો (૪) તુચ્છતા, ક્ષુદ્રતા, કૃપણતા, મત્સર દોષોથી રહિત (પ) કરુણામૂર્તિ - આ ગુણો જેનામાં સર્વોચ્ચ કક્ષાએ પ્રગટ્યા હોય એ આત્મા તીર્થંકરનો હોઈ શકે. આ ગુણો સાથે સમ્યગ્દર્શન પણ જોઈએ જ. વિચારોનો પ્રવાહ અંદર વહે છે ને? જુહુના કિનારે બેસી દરિયામાં પસાર થતાં મોજાંઓને જેટલી તટસ્થતા પૂર્વક જુઓ છો એટલી જ તટસ્થતાથી વિચારોને જુઓ. કશું જ ન કસે. તા. ૩-૩-૧૯૬૪ વિ. સં. ૨૦૨૦ વે. વદ ૭, મંગળવાર સતત પ્રવૃત્તિના આંદોલનોથી વ્યાપ્ત ભૂમિમાં પણ નિવૃત્તિમૂલક અધ્યાત્મિક સાધના કેવી રીતે થઈ શકે? થઈ શકશે? આ પ્રશ્ન પણ વમળ ઊભું કરતો હશે. સાધકે પ્રત્યેક વમળમાંથી બહાર નીકળવું જ જોઈએ. સાધક બનતાં જીવન બે ભાગમાં વહેંચાય છે. (૧) કર્મની ધારા (૨) જ્ઞાનની ધારા. બંને ધારાઓ વચ્ચેનો ભેદ સમ્યગ્દર્શન કરે છે. પણ એનું આટલું જ કાર્ય નથી. વિભાજિત જીવનને અવિભાજિત કરી સમતુલા જાળવવાની અદ્ભુત શક્તિ પ્રગટાવી એ સાધકને સ્વસ્થ, શાંત, પ્રસન્ન ને પ્રસાદયુક્ત પણ બનાવે છે. સાધક બંને ધારાઓ વચ્ચે પોતાનું વ્યક્તિત્વ જાળવી જાણે છે એટલું જ નહિ પણ વિદાય લેતી કર્મધારામાં લિપ્ત ન બનતાં, ન અટકતાં, ન રોકાતાં એ જ્ઞાનધારા સાથે સતત વહેતો રહે છે, ગતિશીલ અને પ્રગતિશીલ રહે છે. જ્ઞાનધારા એના જીવનની ૧૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy