SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક ભિન્ન ભિન્ન પ્રકૃતિના માણસો નજર સમક્ષ રાખીને ક્રિયાનો એકાંત નિષેધ ન થાય એની પણ જાગૃતિ રાખવી પડે. કારણ કમથી કમ જે ક્રિયા કરતો હશે એને પડકારી શકાશે. એને કહી શકાય કે તું આ શું કરે છે? શું કરવા કરે છે? ક્રિયાજડ થઈને પોતે જડ બની ગયા હોય એમના ઉપર જોરદાર તર્કનો પ્રહાર પણ કરવો પડે. એટલે એની જડતા ખંખેરાય. જડ અને ચેતન બન્ને દ્રવ્યો ભિન્ન છે, સ્વતંત્ર છે, સ્વાધીન છે. અન્ય દ્રવ્ય ઉપર તમારી કોઈ સત્તા નથી, માલિકી તો હોય જ ક્યાંથી? પણ બુદ્ધિમાં માન્યતા છે હું માલિક, એ એત્વ બુદ્ધિના કારણે, માટે આ એકત્વ બુદ્ધિ તૂટર્વી જોઈએ. શું કરશો? સમગ્રપણે દ્રવ્યાનુયોગનો વિચાર, સતત વિચાર, એમાંથી ભેદજ્ઞાન. માત્ર જ્ઞાન નહીં પણ સમ્યજ્ઞાન, યથાર્થજ્ઞાન, અત્યંત જરૂરી છે. સત્ય તો નિરપેક્ષ છે અને સત્યને પામવાનું દ્વાર સરળતા છે. પોતાના દોષ જોવા, જાણવા ને પ્રામાણિકપણે તેને દૂર કરવા. કપટ રહિત અને માયા રહિત સ્વભાવ એ સરળતા છે. આ શુદ્ધિનો પ્રારંભ છે. પરમાત્મા કહે છે મને સરળતા ગમે છે, પ્રેમનો રસ ગમે, ને સમર્પણતા ગમે. ૧ ૩૫ તપ બે અવસ્થામાંથી આવે છે. એક પ્રેમની અને બીજી ધ્યાનની. પ્રેમમાં તપ થાય છે. ધ્યાનમાં તપ થાય છે. પ્રેમમાં વિરહ છે માટે અન્ન, પાણી, ઊંઘ ઊડી જાય. ધ્યાનમાં લીનતા છે, દેહનું ભાન નથી માટે ભૂખ, તરસ, ઊંઘ ઊડી જાય. તપ એટલે ભકિતયોગ અને ધ્યાનયોગ. ભૂલ ભયંકર નથી. ભયંકર ભૂલ પણ ભયંકર નથી, પણ ભૂલ છૂપાવવી અથવા અન્ય સ્વરૂપે માનવી અથવા રજૂ કરવી તે ભયંકર છે. ૧૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy