SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨) ઓલ લાઈફ ઈઝ યોગ જાણવા અને જીવવા વચ્ચે અંતર ન રાખો જાણવું પછી તે પ્રમાણે જીવવું એ છે અનુભવ. જેમ કે નમ્રતાને, પ્રેમને પ્રથમ જાણો પછી તે પ્રમાણે જીવો. આમ જાણવા પછીનું પગથિયું આત્મસાત્ કરવું તે પ્રમાણે જીવવું) તે છે. એમ કરવાથી જીવનમાં તેનો સમાવેશ પ્રાકૃતિકનૈસર્ગિકપણે થઇ જાય. સાચી રીત આ છે, પણ આજે જ્યાં જોઇએ છે ત્યાં જાણવું (જ્ઞાન) અને જીવવું (અનુભવ) વચ્ચે ઘણું મોટું અંતર પડેલું દેખાય છે. જેમ કે સમડી આકાશમાં ઊંચે ઊંચે ઊડે છે ખરી, પણ તેની નજર ધરતી ઉપરના શિકાર તરફ છે. એજ રીતે માણસ સેવા, પૂજા, મંદિર, તીર્થયાત્રા કરે છે, શાસ્ત્રો વાંચે છે, મોક્ષની વાતો જાણે છે છતાં તેની નજર તો વાસના, ભોગ તરફ જ છે. માત્ર જાણવું અને કર્મકાંડરૂપી ધર્મ કરવાથી મોક્ષ તરફ પ્રયાણ થઈ શકતું નથી તો મોક્ષ શાનો મળે? ઓલ લાઈફ ઈઝ યોગ કર્મકાંડ ક્યાં વિના પણ મોક્ષ મળી શકે છે. મહર્ષિ અરવિદે એક સરસ વાક્ય કહ્યું મોક્ષ માટે : “ઓલ લાઇફ ઇઝ યોગ.” એટલે કે સમગ્ર જીવનને યોગમય બનાવવું જોઇએ. જીવન જીવવાની એક શૈલી ભોગની છે તેને માટે ઇન્દ્રિયો, વિષયો અને ભોગ છે. તો બીજી શૈલી છે યોગની તેને માટે યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ છે. આ યોગની વ્યાખ્યામહર્ષિ પતંજલિએ આપી. યોગ એટલે સમગ્ર જીવનના જુદાજુદા વિભાગોનું સંવાદિત રીતે મિલન થવું તે. શરીર સ્થળ અને સાકાર છે. સામે વસ્તુ છે, વ્યક્તિ છે તે જોવા માટે આંખ જોઇએ સાંભળવા માટે કાન જોઇએ સુંધવા માટે નાક જોઇએ, સ્પર્શવા ચામડી જોઇએ. પણ એ સૌનો ઉપયોગ કરવા શક્તિ જોઇએ, એ છે પ્રાણ. જેમ વીજળીના ઉપકરણો તમારી પાસે ઢગલા બંધ હોય પણ વીજળીનો પ્રવાહ જ ચાલુ ન હોય તો એ ઉપકરણોનો ઉપયોગ નથી કરી શક્તા, તેમ પ્રાણ ન - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy