SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતતો સદેશ સત્સંગથી કુસંગ જશે સાપ અને નોળિયો દુશ્મન છે. એ બન્ને લડે છે. લડતાં લડતાં સાપ કરડે ત્યારે નોળિયો-નોળવેલ- સૂધે છે. પછી પાછો આવીને સાપ જોડે લડે છે અને જીત મેળવે છે. એજ રીતે તમે સત્સંગ રૂપી નોળવેલની મદદ લ્યો. કરશો તો સંગ રહેશે અને કુસંગ જશે. વળી એ સત્સંગ તમને અસંગમાં જવા મદદ કરશે. માટેજ્ઞાનીનું હસતું મોંજુઓ, તેમની મધુરવાણી સાંભળો, તેમના જીવનનું નિરીક્ષણ કરો. આમ કરશો તેમાં સંગ છોડવાની વાત નથી પણ સંગ બદલવાની વાત છે. સંત કલ્પવૃક્ષ જેવા છે સંતને તમારી સાથે કોઈ લેવાદેવા નથી. તેમનામાં સમાજનું ભલું થાય, પ્રાણી માત્રનું ભલું થાય તે સિવાયની કોઈ ઈચ્છા નથી. જેમ કલ્પવૃક્ષની નીચે બેસીને જે ઇચ્છો તે તમે માણી શકો છો અને એ મળે છે તેમ સંત પુરુષ કલ્પવૃક્ષ જેવા છે. એ તમને ભક્તિ આપશે, જ્ઞાન આવશે, મોક્ષ પામવા મદદ કરશે, પરમાત્માનો ભેટો કરાવશે-આવા સંપુરુષ પ્રત્યક્ષ અને જીવંત કલ્પવૃક્ષ છે. પરમાત્મા તરફની આસક્તિ કરો વળી આસક્તિ પણ કાઢવાની નથી પણ તેની દિશા બદલવાની છે. હે મા ! તમે ખૂબ આસક્તિ કરો. પણ એ પરમાત્મા તરફની હોવી જોઇએ. જેમ નારદજી ભગવાન પ્રત્યે ખૂબ આસક્ત છે. આસક્તિ એક ઝાટકે નથી તૂટતી માટે આ રસ્તો ઉત્તમ છે. પરમાત્મા તરફ રહેતી આસક્તિ પરાભક્તિ બને છે. મોક્ષ પામવાનો એ મંગલમય ઉપાય છે. એટલે તો આવી અવસ્થા પામેલો. ભક્ત ગાય છે કે કાગા સબ તન ખાઈયો, ચૂન ચૂન ખાઈઓ માંસ દોનયનામત ખાઈયો, મો હે પિયુ મિલનકી આસ.” મારા પ્રભુ મારી પાસે આવશે ત્યારે હું તેમને ધરાઈને જોઇશ.” જો આવી તીવ્ર પ્રતિક્ષા હશે તો મોક્ષનો દરવાજો ખુલી જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy