SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સદેશ. (63) દેવહુતુિં આત્મનિવેદન માદેવહુતિનું કલ્યાણ કરવાની કપિલજીનીવૃત્તિ હતી. એક દિવસ તત્ત્વને પ્રગટપણે જોનારા ભગવાન કપિલ પોતાના આસન ઉપર બેઠા હતા ત્યારે એમણે માને પોતાની પાસે બોલાવ્યાં. પુત્ર ભગવાન હોય કે રાષ્ટ્રપતિ, મા માટે તો એ દીકરો છે અને દીકરા માટે મા તે મા જ છે. આજે અહીં વાત્સલ્ય અને અધ્યાત્મટોચની કક્ષાએ ભેગાં થયાં છે. માદેવહુતિ જ્ઞાની પુત્રકપિલમુનિને કહે છે: ‘મને હવે મારી ઇંદ્રિયોની અતૃપ્તલાલસાથી કંટાળો આવે છે. ઇંદ્રિયોનો વિષયો સાથે સંબંધ થયા પછી તેનો પ્રત્યાઘાત મનમાં થતાં સંકલ્પ-વિકલ્પ પ્રગટે, તેને ભોગવવાની ઇચ્છા થાય, મેળવવાની ઇચ્છા થાય એવું સતત થયા જ કર્યું છે તેથી તે પુનરાવૃત્તિએ કંટાળો ઉત્પન્ન ર્યો છે. અધ્યાત્મ પ્રતિ જવાનો વળાંક છે “કંટાળો અર્જુનને વિષાદનો કંટાળો આવ્યો હતો. તેણે ભગવાન શ્રીકૃષ્ણ આગળ પ્રગટ કર્યો તેને પરિણામે જગતને ભગવદ્ગીતા મળી. આમ કંટાળાને અધ્યાત્મ તરફ વળવાનો ટર્નીંગ પોઈન્ટ સમજવો. માણસને જ્યારે કંટાળો આવે છે ત્યારે તે ડીપ્રેશનમાં ડૂબે છે. તેણે આ વાત સમજવા જેવી છે. અધ્યાત્મની અનુકૂળતા માતા દેવહુતિ કહે છે: “મારામાંથી લાલસા નથી ગઈ પણ હું કંટાળી ગઈ છું. વિષયોને પૂરા કરવામાં હું ઘનઘોર અંધારામાં ડૂબી ગઇ છું. અવિદ્યાના આ ખાડામાંથી મારે બહાર નીકળવું છે. હવે તમે મને તેમાંથી બહાર કાઢો. હે પુત્ર, મને એવા સંયોગો મળ્યા છે જે અનુકૂળ છે. આધ્યાત્મિક સાધના થઇ શકે તેવું શરીર મળ્યું છે, આવી સાધના થઇ શકે તેવું અનુકૂળસ્થળ બિંદુસરોવર (આજનું સિદ્ધપુર) મળ્યું છે. સાધનાને અનુકૂળ થાય તેવા પતિ મળ્યા છે. અને જેના વડે સાધના અને તેની સિદ્ધિ મળે તેવો જ્ઞાની પુત્ર મળ્યો છે. માટે મારે હવે અજ્ઞાનના અંધારા કાઢવા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy