SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ કપિલજીનું પિતાને વચન કર્દમજી સંન્યાસ પત્ની અને રાજપાટ, વૈભવ તથા ધન છોડી વનમાં ચાલી નીકળ્યા. ત્યારે કપિલજીએ કહ્યું હતું કે : “ વનમાં તપ કરીને તમારું શરીર તો છોડી શકશો પણ ફરી જન્મ જ ન લેવો હોય તો તમારી અંદરના કારણ શરીર અને લિંગ શરીરથી પણ તમે મુક્તિ પામો. આત્માના કલ્યાણ માટે અત્યંત પુરુષાર્થ કરી, જ્ઞાનાગ્નિ ઉત્પન્ન કરી, તેનાથી તમારા તમામ કર્મો બળી જાય તેવી શ્રદ્ધા હું વ્યક્ત કરું છું. મારી માતાની તમે ચિંતા કરશો નહિ. સધળા કર્મોથી મુક્તિ અપાવનાર આત્મજ્ઞાન હું તેમને આપીશ. જેથી તેઓ સંસારને પાર કરશે જ. સંસાર અસર છે એમ બૂમો પાડીને બોલવાથી જીવનમાં પરિવર્તન આવતું નથી.' પણ પદાર્થ, વ્યક્તિને સંયોગ યથાર્થ સમજાયા તે પછી અભિગમ બદલાય છે, એ વૈરાગ્ય છે. માટે એને યથાર્થ સમજવાની તૈયારી બુદ્ધિ કરે. બુધ્ધિ સાથે જે તાદાત્મ છે તેને મિથ્યાત્વ કહેવાય છે. એ તાદાત્મ તોડવાનું કામ પ્રજ્ઞા કરે છે. પ્રજ્ઞાના બળથી તાદાત્મ તૂટવાથી પ્રક્રિયા પૂરી થયા પછી, એટલે કે ભેદ વિજ્ઞાન થવા છતાં પણ કામ પૂરું થતું નથી. સ્વાનુભૂતિ કરવા ધ્યાન કરવું પડે. જ્ઞાન બુદ્ધિની ધારા બદલાવે. અને ધ્યાન સ્વાનુભવ કરાવે. સ્વાનુભવની પ્રક્રિયામાં જ્ઞાન વિના જવાથી અનુભવ ખોટો થાય છે. જે બુદ્ધિ હશે પણ અભ્યાસ નહિ હોય, સ્વાનુભવ નહિ હોય તો શુષ્કતા આવશે. બુદ્ધિનું પરિપક્તવ સ્વરૂપ પ્રજ્ઞા છે. ધ્યાનનું પરિપક્વ સ્વરૂપ સ્વાનુભવ છે. પ્રજ્ઞા અને સ્વાનુભવનો સરવાળો છે સાક્ષાત્કાર, એનું નામ કલ્યાણ, શિવ, મોક્ષ. એવો જ્ઞાની દેહમાં હોય કે ન હોય તે મહત્વનું નથી. જ્ઞાની પુરુષોમાં દેહ છૂટી જાય એવો વિકલ્પ પણ હોતો નથી, તેઓ દેહમાં છે છતાં મુકત છે. મુનિ શ્રી ભાનવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy