SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (13) શ્રદ્ધા અને ચિંતન અધ્યાત્મલક્ષી બનો આધ્યાત્મિક વિકાસ થયા વગર ભૌતિક વિકાસ થાય એ માણસ માટે મંગળમય તત્ત્વ નથી પણ વિનાશી છે. એવો વિકાસ પામેલા માણસના વ્યવહારમાં કરુણા નથી હોતી, આંખમાં અમી નથી હોતું. માટે જ જ્ઞાની પુરુષો અધ્યાત્મ તરફ વળવા કહે છે. માણસો અધ્યાત્મ તરફ ન થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષોને તેની વેદના રહેતી હોય છે. સત્યને અનુકૂળ મન એટલે ધર્મ ભગવદ્ કથામાં રુચિ થાય એ અધ્યાત્મ વિકાસની શરૂઆત છે. ભગવાનની કથા સાંભળવી ગમે, કથા થતી હોય ત્યાં બેસવું ગમે, કથા સાંભળી તે પ્રમાણે કરવાની ઇચ્છા થાય, સાંભળીને ધન્ય થયા તેવું લાગે એ રુચિ છે. રુચિ આધ્યાત્મિક વિકાસ કરે છે અને ભગવાન પ્રત્યે પ્રેમ છે તે દર્શાવે છે. શુકદેવજીમાં એ પ્રેમ મુખ્ય હતો. પણ વ્યાસજીમાં એવું નહોતું તેથી તેમને ભગવદ્ કથામાં, ભગવાનમાં રુચિ નહોતી. પ્રેમથી પ્રભુગુણ ગાવા એ રસના (જીભ)નો લ્હાવો છે. રુચિ થાય તો જ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. શ્રદ્ધા એ આંતરિક અવસ્થા છે. માણસને શામાં રસ છે, તેની શું માન્યતા છે, તેની સમજ શું છે તે મહત્ત્વનું નથી પણ સત્ય શું છે તે જાણવું મહત્ત્વનું છે. સંપ્રદાય મનને અનુકૂળ સત્ય બનાવે છે, તેથી સત્ય મટી જાય છે. સત્યને અનુકૂળ મન એ જ ધર્મ છે. સત્યને જ્યારે અલંકાર પહેરાવવામાં આવે છે ત્યારે તે અસત્ય થઈ જાય છે. શ્રદ્ધાનું બળ મીરાને ઝેર ભરેલો પ્યાલો રાણાએ દાસ સાથે મોકલાવ્યો. દાસે મીરાને કહ્યું: ‘ભગવાનના અભિષેકનું જળરાણાજીએ મોકલ્યું છે. પરમાત્મા ઉપરના અટલ વિશ્વાસથી મીરા એ ઝેર પી ગઈ. તેના ગળાની નીચે એ ઝેર ઊતરતાં જ અમૃત બની ગયું. આ કોઇ કલ્પના નથી પણ પ્રભુ ઉપરની શ્રદ્ધાના કારણે ઝેર ખરેખર અભિષેક જળ-અમૃત-બની ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy