SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (૦) ભાગવતનો સંદેશ લઇ, તેનામાંથી પોષણ મેળવી, વૃક્ષ ઉપર ચડી છવાઈ જાય છે. જમ્બર ખીલે છે ત્યારે વેલ જ દેખાય છે વૃક્ષમાં. પણ વૃક્ષના ટેકા વગર તે ટકી શકતી નથી. એવી જ રીતે પ્રકૃતિ આત્માનો ટેકો લે છે પછી તેના ઉપર છવાઈ જાય છે, આત્માને ઢાંકી દે છે. જેમ વાદળ સૂર્યને ઢાંકી દે છે તેથી પ્રકાશ-તડકો નથી મળતો, લાઈટના બલ્બ ઉપર આવરણ ચઢાવો તો તેનો પ્રકાશ નથી મળતો એવી જ રીતે પ્રકૃતિનું આવરણ હોવાથી આત્મા નથી દેખાતો. તેનો પ્રકાશ-પ્રભાવ નથી જણાતો. પ્રકૃતિનું જોર ચિદાનંદજી મહારાજે એક સરસ વાત કરી છે કે : “બકરી વાઘને ધમકાવે અને વાઘ થર થર ધ્રુજે.’ આ બકરી એટલે પ્રકૃતિ અને વાઘ એટલે આત્મા. પ્રકૃતિનું જોર આત્મા ઉપર જબરું ચાલે છે. જેમ કે શહેરમાં જવા તમારે સવારે ચાર વાગ્યે ઊઠી ટ્રેનમાં જવું છે. તમે એલાર્મ મૂક્યું. એલાર્મ વાગ્યું પણ ખરું, પણ તમે તો ઊંઘતા જ રહ્યા, તમને ધ્યાન જ ન રહ્યું. આ છે પ્રકૃતિનું જોર સાધના પ્રકૃતિનો ક્ષય કરવા માટે છે ખરેખર તો ચૈતન્ય- આત્માની સત્તા તળે પ્રકૃતિ હોવી જોઇએ, પણ છે ઊલટું. પ્રકૃતિના તાબે આત્મા છે. માટે જ સમગ્ર સાધના પ્રકૃતિનો ક્ષય કરવા માટે છે. સાધના મોક્ષ, આત્મા, પરમાત્મા મેળવવા માટે નથી. માણસે આ નોંધ કરી લેવાની છે. નરસિંહ મહેતા કહે છે : “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ આ વાત એમણે અનુભવીને કરી. પછી એમણે આપણા માટે કહ્યું : “મેં તો હરિને ન નિરખ્યા નયણાની આળસ.’ આ આળસ એટલે પ્રકૃતિનો ક્ષય કરવાની આળસ. પ્રકૃતિ આત્મા ઉપર રોફ કરે છે માણસ ગમે તેટલી કથાઓ સાંભળે, એનાથી પ્રકૃતિ ઢીલી નહિ પડે. એ નબળી પડે તેવી પ્રક્રિયા જો એણે થોડી થોડી પણ કરી હોત તો, તે આજે સ્વતંત્ર હોત. પુરુષ એટલે આત્મા, ચૈતન્ય અને પ્રકૃતિ એટલે અવિદ્યા, માયા, મેટર. આ બંનેના સંયોજનથી જગતની રચના થાય છે. જેમ ગામમાં કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy