SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩) ભાગવતતો સંદેશ નીચે બેઠા. માણસ સુખ મેળવવા કર્મ કરે છે વિદુરજી પૂછે છે : “માણસ મરણ પામે ત્યાં સુધી જાત જાતના કર્મો કરતો જ રહે છે. એ કર્મો તે સુખ મેળવવા માટે, અર્થ અને કામ મેળવવા માટે કરે છે. તેને એવી કલ્પના છે કે તે ઢગલો સુખ મેળવશે અને તેને તે ભોગવ્યા જ કરશે. એ માને છે કે સુખના સાધનો અને પોતે શાશ્વત રહેશે. પણ એવું નથી બનતું. આ સાધનો અને માણસ બન્ને નશ્વર છે માટે ચાલ્યા જાય છે. શું આનો ઉપાય નથી?’ સુખ છે દુઃખની દવા મૈત્રેયીજી કહે છે : “ જગતના પદાર્થો પાસેથી સુખ મેળવવું હોય તો વચ્ચે વ્યક્તિ અને તેની પ્રકૃતિ આવશે. તેમાં ગોઠવણી પણ હશે. આ તમામ નશ્વર છે. ક્ષણિક સુખને દુઃખનું ઔષધ માને છે, પણ તે બહારનું છે, નશ્વર છે. આથી એ મેળવવાથી પણ, સાચું સુખ માણસને મળતું નથી. સાચું સુખ અંદર છે વિદુરજી, સાચું સુખ ભીતરમાં છે. તેનું માણસને વિસ્મરણ થયું છે. આ સ્મરણ પાછું થાય અને સાચા સુખ તરફ જવાય તેની એક માત્ર પધ્ધતિ ધર્મ છે. ધર્મથી છવાય તો ધ્યાન તરફ જવાય. ધ્યાન આત્મા તરફ લઈ જાય, તેની સાથે મિલન કરાવે, તેમાં લીન કરાવે પછી તેમાંથી જ સાચું સુખ મળે છે. સુખ, દુઃખ સાથે જ હોય છે સુખ-દુઃખ સાથે જ હોય છે. બન્ને અનુભવો સાથે જ થાય છે. તેથી જ સુખીદેખાતો માણસ પણ દુઃખી હોય છે. જેમકે પત્ની અનુકૂળ નથી, પરવાળી કહેશે પતિ અનુકૂળ નથી. ગાડી, બંગલો, નોકર-ચાકર, ધન એ માણસને અનુકૂળતા આપે છે. પણ અનુકૂળતાની સાથે જ પ્રતિકૂળતા છે. જેના ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy