SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ સાધકે પ્રયાસ કરવો જોઈએ શુકદેવજી કહે છે : “રાજા, તમે મોટું સાહસ કર્યું છે. રાજ્ય અને તમામ ભૌતિક વસ્તુઓ છોડી કેવળ તમે એકલા જ ગંગા કિનારે આવ્યા છો. સાથે અહીં સંતોનો મેળો થયો છે. આ રીતે પ્રકૃતિએ તમને અનુકૂળતા કરી આપી છે. હવે તમારે પ્રયાસ કરવો જોઇએ.” પરમાત્મામાં તલ્લીનતા થાય છે તેને બે અનુભવ થાય છે. (૧) પરમાત્મા તરફ પરમ પ્રેમ જાગે. (૨) વિષયોથી પર એવા પરમાત્માનો તે વ્યક્તિ તરફ પ્રેમ થાય છે. આ પૂર્ણ અવસ્થાની વાત છે. પણ જ્યારે સાધક સાધનાની શરૂઆત કરે છે ત્યારે એણે સંચિત કરેલા પૂર્વ સંસ્કારો, પોતાનું તમામ બળ વાપરીને સાધકને સાધનામાંથી પાછો લઈ જવા માગે છે. સંગ્રહ, મમત્વ, આસક્તિ આડા આવે છે, અવરોધ ઉત્પન્ન કરે છે. પ્રથમ તો રજોગુણ વચ્ચે આવીને ચિત્તને વિક્ષુબ્ધ કરે છે, ચંચળ કરે છે, ઈતર પ્રવૃત્તિમાં નાખે છે, લોભ-મોહમાં ડૂબાડવા પ્રયાસ કરે છે. મન આ પ્રયાસમાં ડહોળાય નહિ તે માટે પૂર્ણ તાકાતથી પ્રયાસ કરવો જોઇએ. કાળજી લેવાવી જોઈએ.’ સંસ્કારોને હટાવો અનેક વર્ષો સુધી સાધના કરી હતી છતાં સંસ્કારો વિશ્વામિત્રને, દુર્વાસાને તાણી ગયા હતા, લોભ કહેશે મૂડી સંઘરો, તે કામમાં આવશે. ઘડપણમાં છોકરાં કહ્યામાં ન રહ્યાં તો એ ધન ઉત્તમ નીવડશે. શુકદેવજી વળી કહે છે કે : આવો પ્રવેગ આવે તો પણ તમે હિંમત હારશો નહિ. સાધના છોડશો નહિ, પણ કાળજીપૂર્વક પૂરી શક્તિથી એ સંસ્કારોને હટાવજો.’ સંસ્કારો મજબૂત હોય તો પણ જઈ શકે છે - તમોગુણ નિંદ્રા લાવે છે. સાધના કરતાં કરતાં વધુ આહાર કરાવે છે. પછી સાધના આજે નહિ કાલે કરીશું એવું થાય છે. આળસ, તંદ્રા એ તમો ગુણનું લક્ષણ છે. ક્ષુબ્ધ અવસ્થા છે. એવું થાય ત્યારે ગભરાવું નહિ. પણ ધીરજથી યોગ ધારણા બળપૂર્વક કરવી. તમારામાં વિશેષ શક્તિ પડી છે તેનો ઉપયોગ કરવો. તમે મથ્યા જ રહેશો તો તે સામર્થ્ય બહાર આવી ને તમને મદદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy