SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતો સંદેશ (૪૦) ઓઠ, કાન, સમગ્ર મુખારવિંદનું નિરીક્ષણ કરી ધ્યાન કરો. અને વિચારો કે કેવાં સુંદર આ અંગો. પ્રભુ તમે નિર્વિકારી અને હું વિકારી. તમે શાંત અને હું ઉગ્ર. તમે સુંદર, તમારા અંગો મધુર. બસ આ રીતે સતત એના સ્મરણમાં ડૂબેલા જ રહો. ધીમે ધીમે તમારું મન શાંત થઈ જશે. અંદરથી આનંદ પ્રગટતો જશે. આનંદ ભક્તિમાંથી પ્રગટે છે તેથી એ આનંદ તમને ભક્તિમાં લઇ જશે. પરમ ભક્તિયોગની પ્રાપ્તિ કદાચ કોઈ વાર રજો ગુણ પ્રગટે, તમો ગુણ પ્રગટે ને મન ખળભળી ઊઠે તો પણ ગભરાવું નહિ. તેને કહો કે તને ફાવે તે કર, હું તો મારા વહાલાને સ્મરું છું. એ એવો શક્તિશાળી છે કે તું મારું કશું બગાડી નહિ શકે. આમ કરતાંકરતાં મન ભક્તિમાં ડૂબે છે, પરમાત્મામાં ડૂબે છે. એના પરિણામે ‘પરમ ભક્તિયોગ’ની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિનું પરિપક્ત સ્વરૂપ પ્રજ્ઞા છે. તે વિચાર દ્વારા પ્રાપ્ય થાય. પણ તે પહેલાં - પુરુષનો યોગ થવો જોઇએ, એમની છે ઓળખાણ થવી જોઇએ, મત, માન્યતા અને આગ્રહથી બહાર નીકળી ગયેલા હોવા જોઈએ, પદાર્થોને વિષયોની આસક્તિ ઓછી થવી જોઇએ, વૈરાગ્ય જોઇએ તે શાંત અવસ્થા જોઇએ. તે હોય તો જ વિચાર કરી શકાય. જેમ નિષ્ણાત ડૉક્ટર ઓપરેશન કરતાં પહેલાં જ બધી તૈયારી કરી રાખે છે. ઓપરેશન કરતાં કરતાં બીજા સાધનો લેવા જાય તો ઓપરેશન નિષ્ફળ જાય તેમસપુરુષ મળતાં પહેલાં જ સાધકે મુમુક્ષુતા, માર્ગાનુસારીપણું, સરળતા, જિજ્ઞાસા અને નમ્રતા આદિ તૈયારી કરેલી હોવી જોઈએ. આગ્રહો, મતોને કુળધર્મમાંથી મુક્ત થવું જોઈએ. એથી પણ વધારે નડે છે અભિમાન, વિષયોની પ્રગાઢ આસકિત, આ બધામાંથી પણ મુક્ત બનવું જોઇએ. મુનિ શ્રી ભાનવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy