SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ (પ) ( ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ ) પૂર્ણાવતાર શ્રીકૃષ્ણ એકલા જ હતા જમીનના એક ટૂકડા માટે મહાભારત યુદ્ધ થયું. જો કૌરવોએ ન્યાયને સમજીને પાંડવોને અર્ધ રાજ્ય અથવા થોડાક પણ ગામડાં આપ્યા હોત તો આ ભયાનક સંહાર ન થયો હોત. પાંડવોનો આગ્રહ હકનું અધું રાજ્ય લેવાનો નહતો. એમને તો ફક્ત ન્યાય જ જોઇતો હતો. અન્યાયનો સામનો કરવો હતો. વેદ વ્યાસજી બોલેલાકે “ જે રાષ્ટ્રમાં ન્યાયને સન્માન ન હોય તે રાષ્ટ્ર મરેલું છે.” આ મહાભારત યુદ્ધમાં ૧૮ અક્ષૌહિણી સેનાનો ઘાણ વળી ગયો, નંદનવન જેવી ધરતી સ્મશાન થઈ ગઈ હતી. કેટલાક લોકોનું એવું કહેવું છે કે અર્જુન યુદ્ધ કરવા તૈયાર ન હતો. તે ઇચ્છતો નહતો પણ શ્રીકૃષ્ણ તેને ઉશ્કેરીને યુદ્ધકરાવ્યું. પણ એ વાત સાવ ખોટી છે. કેમકે ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધન થાય તે માટે ભારે પ્રયાસ કર્યો હતો. સમાધાનનો જે નિર્ણય આવે તે સ્વીકારવા એમણે પાંડવોને તૈયારર્યા હતા. પાંડવોએ કહ્યું હતું કેઃ “અમને જીવનનિર્વાહ માટે પૂરતી થઇ પડે એટલી જમીન-એટલાં ગામડાં આપો.’ આ મુદ્દો લઈને જ ભગવાન શ્રીકૃષ્ણ કૌરવો પાસે ગયા હતા. સુલેહની આ વાત ચાલતી હતી ત્યારે ભગવાને દુર્યોધનને ત્યાં ભોજન એટલા માટે નહોતું લીધું કે એ ભોજનન્યાયમાં આવું ન આવે. પણ દુર્યોધન નહોતો માન્યો. તેથી મહાભારત યુદ્ધ થયું. તેમાં શ્રેષ્ઠ યોદ્ધાઓ ખતમ થઈ ગયા. ૧૪ ભુવનના ઘણી, પૂર્ણાવતાર ભગવાન શ્રીકૃષ્ણ આ દુઃખદ ઘટના ટાળી નહોતા શક્યા. એ એકલા જ હતા, એમને સમજ નાર કોઈ જ નહોતું. જ્યારે યાદવો મદિરા પાનની લતે ચડી, ભાન ગુમાવી, અંદરોઅંદર લડીને કપાઈ મૂઆ તે વખતે પણ ભગવાન શ્રીકૃષ્ણની વાત યાદવોએ નહોતી માની. યાદવો જે તેમના કુટુંબીઓ પણ હતા તેમને ભગવાન સમજાવી નહોતા શક્યા. તેમના જીવનમાં આવું અનેક વાર બન્યું હોવા છતાં તેઓ પ્રત્યેક પળે પ્રસન્ન હતા. એમને કોઇની પ્રત્યે રોષ ન હતો. તેઓ ક્યારે પણ વિષાદ ગ્રસ્ત થયા નહોતા. પણ પ્રત્યેક પળે પરમ પ્રસન્ન હતા. અને ખૂબી તો જુઓ આ પરમ પુરુષે જ્યારે દેહ છોડ્યો ત્યારે પણ તે એકલા જ હતા, છતાં તેઓ . .. : - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy