SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૮) ભાગવતતો સદેશ વાસ્તવિકતા નથી. પ્રકૃતિ પોતાના નિયમ અનુસાર કામ કર્યા કરે છે. એમાં માણસનું કાંઈ પણ ચાલતું નથી. નમ્ર અને નિરહંકારી બનો જે બને છે તેની ખબર માણસને આગળથી નથી મળતી. અણગમતા બનાવથી દુઃખ થાય અને ગમતા બનાવથી હર્ષ થાય એ અહંકારની નિશાની છે. અહંકાર કાઢયા પછી જ મન શાંત બને છે. સંત લાઓત્યે કોઈ જાહેર પ્રસંગમાં જાય ત્યારે જોડા કાઢવાની જગ્યાએ જ બેસતા, જેથી ત્યાં કોઈ બેસવા આવે નહિ અને તેમને કોઇ ઊઠાડે નહિ. આવું નિરહંકારીપણું આ મહાન તત્ત્વજ્ઞાનીમાં હતું. શાણા માણસો કામ કરતાં પહેલાં ઘણા માણસોને પૂછી લે છે જેથી તેમના તરફથી વાંધા ન આવે. આ સમજપૂર્વકની નમ્રતા અને નિરહંકારીપણું છે. સમજણ કેળવો હર્ષ પ્રસંગે છકી ન જાવ, વિષાદના પ્રસંગે નંખાઇ ન જાવ. પૈસો, સત્તા, ધન, રૂપ પચાવવાં અઘરાં છે. પણ શાંતિથી મનને ડહોળ્યા વિના જીવવું હોય તો એ પચાવવાં જ પડશે. હર્ષના પ્રસંગો ભગવદ્ કૃપાએ મળ્યા છે તેમ માનો અને વિષાદના પ્રસંગો કર્યજનિત માની બૈર્ય ધારણ કરો. આવી સમજણથી વિપરીત પ્રસંગે વિષાદ નહિ થાય અને અનુકૂળ પ્રસંગે આસક્તિ નહિ થાય. ધ્યાન માટેનું સ્થળ મનને આવું તૈયાર કર્યા પછી તત્ત્વને પામવા ધ્યાન માટે યોગ્ય જગ્યા શોધો. જયાં એકાંત હોય, શુદ્ધતા હોય, દુરાચારી વ્યક્તિઓની અવરજવર ન હોય એવા શાંત, પવિત્ર અને નિર્સગિક સ્થળની પસંદગી ધ્યાન માટે કરો. માણસે ધરતીને સ્વચ્છ નથી રાખી, તેનું મૂળ સ્વરૂપ બગાડી નાખ્યું છે. તીર્થ આધ્યાત્મિક વાતાવરણ મળે તે માટે બન્યાં પણ માણસે ત્યાં પણ વ્યાપારીકરણ ક્યું છે. પણ એકાંતમાં કોઈ ડુંગર ઉપર, દૂર કોઇ નદી કિનારા ઉપરનું તીર્થ, જ્યાં જ્ઞાની પુરુષોએ તપ કર્યું હોય, તેઓ જમ્યા હોય કે ત્યાં દેહ વિલય થયો હોય તે સ્થળ ધ્યાન માટે ઉત્તમ છે. સાધનાના સમયે ચોખ્ખાં, સાદા, ઢીલાં તેમજ ઋતુને યોગ્ય વસ્ત્રો મદદ કરે છે. સાદાઈ જીવનનો અલંકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy