SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૬) ભાગવતતો સદેશ જાગૃત રહી ચોકી કરે જેથી હરાયા ઢોર ખેતરમાં પેસી પાક બગાડે નહિ. એ જ રીતે સાધક દોષો કાઢી. સત્કર્મનું બીજ વાવી, ધ્યાનનું ખાતર, પાણી આપી જાગૃતિની વાડ કરી નવા કોષોને મનમાં ન આવવા દે તો તત્ત્વને જાણી શકે. મનમાં રહેલા વિકારો કાઢવા પડે ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે : “મનને અભ્યાસ અને વૈરાગ્યથી વૃત્તિ વગરનું બનાવવું પડે. પછી એ મન ધ્યાન કરીને તત્ત્વને પામી શકે. એટલે કે તેને જોઇ, જાણી, અનુભવી શકે. અનેક દિશામાં દોડતા મનને એક જ દિશામાં વાળવું પડે. પૂરી શક્તિથી બધી જગ્યાએથી મનને પૂર્ણપણે ઉપાડી લેવું પડે. મનને જ્યારે જ્યારે પરમાત્મામાં વાળવાનો પ્રયત્ન કરાય છે ત્યારે મન વળી વળીને જગતના વિષયોમાં, માયામાં જવાનો પ્રયત્ન કરે છે. મન વસ્તુ, વ્યક્તિ અને સંયોગ તરફ જાય છે. ત્યાંથી મનને વાળવા માટે મમત્વ, મારાપણું, મૂછ મનમાંથી કાઢવાં પડે. આ કાઢવાથી મન શુદ્ધ થાય. શુદ્ધ મનમાં ધ્યાન લાગે. અને ધ્યાનમાં જ તત્ત્વ મળે. જેમ વસ્ત્રને રંગવું હોય તો તેમાં રહેલો મેલ અને રંગકાઢવાં પડે. આનંદધનજી કહે છેઃ મનને, અંતઃકરણને પરમાત્મભક્તિથી રંગવું હોય તો મનમાં રહેલો કચરો (વિકારો) કાઢવા પડે. જેમ ઘરના ઓરડામાં લીંપણ કરવું હોય તો જૂના લીંપણના પોપડા ઉખેડવા પડે છે. આમ અંતઃકરણનો મળ ગયા પછી જ ધ્યાન લાગે છે અને ધ્યાનમાં જ તત્ત્વ જેવું છે તેવું અનુભવી શકાય છે. સ્વધર્મ કરો સ્વધર્મનું આચરણ કરવું એ આત્માનો સ્વભાવ છે. એ સુપેરે કરવા માટે મનને વિકલ્પ અને વાસનામાં જવા દેવું ન જોઈએ. જ્યાં માણસ ઊભો છે તે ભૂમિકાનું પ્રાપ્ય કર્તવ્ય કરવું તે માણસનો મુખ્ય ધર્મ છે. જેમ કે બિમાર વ્યક્તિ માટે ડૉકટર ભગવાન છે અને સારવાર આપવી એ ડૉકટરનું ર્તવ્ય છે, તેનો સ્વ ધર્મ છે. શિક્ષણ અને ધર્મજ્ઞાન બીજાને આપવું એ બ્રાહ્મણનો સ્વધર્મ છે. પિતાનો સ્વધર્મ છે કુટુંબનું પાલન-પોષણ, માનો સ્વધર્મ બાળકોનો પ્રેમ ભર્યો ઉછેર અને તેમને સુસંસ્કારનું રોપણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy