SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૪) ભાગવતો સદેશ આસક્તિને અનુરાગ કહેવાય છે, એટલે કે પરમાત્માના પરમ પ્રેમમાં ફેરવી છે એમ કહેવાય. ભક્તિમાં પરમાત્મા નિરાકાર છે માટે એ પરમ પ્રેમ, આત્મજ્ઞાની સંત, સદ્ગુરુ તરફ ફેરવો તે ભક્તિ છે. અને છેલ્લે પ્રાણી માત્ર તરફ ફેરવો. આમ પરમાત્મા, સંત, ભક્ત અને પ્રાણી માત્ર તરફ આસક્તિ જવાથી તેનું બળ તૂટશે. એ તમને-સાધકને પજવી શકશે નહિ. પરિણામે સાધકની આધ્યાત્મિક યાત્રા નિર્વિઘ્ન, સરળતાથી ચાલી શકશે. આત્મ-સંવાદ પ્ર. કોઈ આપણી ભૂલ કાઢે તેથી ખોટું લાગે તો કરવું? જ. તમારી ભૂલ તરફ કોઇ ધ્યાન દોરે તો નમ્રતાપૂર્વક સ્વીકાર કરવો જોઇએ અને ભૂલ શોધી કાઢનારને ધન્યવાદ આપવો જોઇએ. ખોટું લાગે છે તેનું કારણ આપણામાં અસ્વીકારનો ભાવ છે. પ્ર. ફક્ત આપણી ભૂલબતાવતો આપણો ઉત્સાહ ભાંગીન જાય? જ. જો ખરેખર ભૂલ હોય અને એ કોઇ સમજાવે તો ઉત્સાહ વધે. પ્ર. આપણે નવાણું ટકા સારા કાર્યો કરીએ છતાં એક ટકા માટે આપણી ભૂલ જ કહ્યા કરે તો શું કરવું? એ સામી વ્યક્તિની ભૂલછે, એની કુટેવ છે, એનાથી આપણે ઉત્તેજિત નથવું જેમ કુતરું ભસે તો આપણે કંઇ ભસવા જઇએ છીએ? પ્ર. અંતરમાં એક ભાવ રહ્યા કરે છે કે આપણી કદર કરે, કદાચ કારણે જ દુઃખી થઈએ છીએ. કારણ કે તમે બીજાના આધારે જીવો છો. અપેક્ષા જ તમામ દુઃખોનું મૂળ છે. પ્ર. આપણને ખ્યાલ આવે કે આ ભાવના કારણે દુઃખી થઈએ છીએ, અશાંતિ અનુભવીએ છીએ. છતાં પ્રસંગ-ઘટના નિમિત્ત મળતા તેની અસરથી દુઃખી થઇએ છીએ. | જ. આ બધા માટે તમે તૈયાર છો. કોઇ નિમિત્ત મળવું જોઇએ. મુનિ શ્રી ભાનુવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy