SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ - - (૧૦) ભાગવતતો સંદેશ હર્ષ-શોકનકરો ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરતા રહેવું સ્વાભાવિક છે. પણ જે વિષયો પ્રાપ્ત થયા હોય તે ચાલ્યા જાય કે પોતાની પસંદગી મુજબ ન થાય ત્યારે માણસ શોક કરે છે. અને પસંદગીની અને અનુકૂળ વિષયો પ્રાપ્ત થાય ત્યારે તે હર્ષ કરે છે. બીજાને પોતાનાથી ઓછા વિષયો મળે તો હર્ષ પામે અને બીજા પાસે પોતાના કરતાં વધુ હોય તો તેના પ્રત્યે ઈર્ષા થાય છે. ખરેખર તો આમાં સુખ-દુઃખ થાય તે વાસ્તવિકતા નથી, પણ કાલ્પનિકતા છે. લોકોને બતાવવા માટે જ માણસ કપડાં, દાગીના વગેરે પહેરે છે. હવે એ કહો કે પોતાને જરૂર હોય એટલા જ ઉપયોગમાં લેવાય તો શો વાંધો? માણસને જે સારું લાગે તે પસંદ કરે તે તેને મળે તો તેને હર્ષ થાય છે. એને જે મળે તો નબળું લાગે છે તેને મળે તો શોક થાય છે. આ કંદ છે. આવું કરનાર પરમાત્માની ભક્તિ, જ્ઞાન કે કર્મની સાધના ન કરી શકે. "અd, • જે કાંઇ કરો તે મોહના ક્ષય માટે જ - ધ્યાનપૂર્વક કરો. સાધનામાં જે પ્રત્યયો થાય છે હું તેમાં ઉત્કૃષ્ટ ચેતનાનાં આંદોલનોને ઝીલવા વાપી સન્મુખ બનવું. જ્ઞાનીનો જે પ્રવાહ તમને પ્રાપ્ત થાય તેને જીવનમાં સ્થિર કરવા પ્રયત્ન કરવો. ૦ દ્રવ્યદૃષ્ટિ, ગુણદષ્ટિ કેળવો. તમે દેવું લક્ષમાં રાખો છો પણ તમારી પાસે છે તે થાપણને જોતા નથી. થાપણને લક્ષમાં લ્યો, જુઓ. દશ ગુણઠાણા સુધી રાગ (લોભી હોય પણ તેની જાત જુદી, સમ્યમ્ દષ્ટિ, દેશ વિરતિને આર્તધ્યાન થાય. સ્વદોષ દર્શન કરી તે દોષ પ્રત્યે સજાગ રહો. નિષ્કપ અવસ્થા એ સાચી અવસ્થા છે. તમે શુભ કે શુદ્ધમાં ડૂબેલા રહો પણ અશુભમાં ન જાવ. શુદ્ધ કે શુભમાં રહેવા પ્રયત્ન કરો ને ઉદયોથી તમારી જાતને અલગ રાખો. વર્તમાનમાં જ પોતાનામાં જીવો. ભૂત, ભવિષ્ય કે પરમાં ન જાવ. મુનિ શ્રી ભાનવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy