SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૮) ભાગવતનો સંદેશ દેખાશે. પણ એકાદ કૂંડામાંનુ પાણી ઢોળાઈ જાય તો તેમાં પ્રતિબિંબ નથી દેખાતું. એ જ રીતે કહેવાય છે કે તારામાં રામ અને મારામાં પણ રામ અને જરાક વિશેષ ધ્યાનથી જોવાથી એ જ આત્મામાં બિરાજેલ પરમાત્મા પણ દેખાશે. જયાં સુધી આમન દેખાય ત્યાં સુધી માણસ એવી ભાવના કરે. માણસે આ પ્રયોગ પોતાના ઘરમાંથી શરૂ કરવો. દરેકમાં એક જ આત્મા અને તેમાં પરમાત્માની સત્તા જુઓ, પછી તમારા પોતાનામાં જુઓ. તો તેમાં પણ આત્મા-પરમાત્મા દેખાશે બસ આવું બનતાં જ જગત પરમાત્મામય જણાશે– દેખાશે. આવું જે માણસને દેખાય છે તે ઉત્તમ માનવ છે. ભગવદીય માનવ છે પ્રત્યેક માણસે આવા બનવાનું છે. અને જો માણસે મરતાં પહેલાં આ અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો તે માટે આજથી જ પ્રયાસ કરવા જેવો છે. સંતની તત્ત્વવાતનો અમલ કરો જ્ઞાન સભામાં તત્ત્વની વાત સમજાવવા અનેક દષ્ટાંતો અપાતા. બીજી પણ ઘણી વાતો થતી. ડાહ્યા-સમજુ માણસ માટે આ બધી જ વાતો ઉપયોગની ન હોય. તેને તો જ્ઞાની પાસેથી મુદ્દાની વાત સાંભળી તેનો અમલ કરવાનો હોય. કોઈ વાર વાત કરવામાં વિષયાંતર થાય તો અન્ય જ્ઞાની પુરુષ કહેતા આ બધું બોલવાનું છોડીને મુદ્દાની વાત કરો. આમ અહીં અનેક રીતે જ્ઞાન પામવાનો અને પમાડવાનો પ્રયાસ થતો હતો. જ્ઞાન, ભક્તિ અને કર્મ માર્ગ આ જ્ઞાન સભામાં જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગના જ્ઞાનીઓ પોતાના માર્ગથી થતાં અનુભવ અને તે માર્ગે ઉપાસના કરવાનું માર્ગદર્શન આપતાં હતાં. જ્ઞાન માર્ગીઓ પરમતત્ત્વ, પ્રગટ બ્રહ્મના સ્વરૂપ અને તેની અનૂભૂતિની બાબત સમજાવતાં હતાં. સેવા-પૂજા, વ્રત-તપ અને સ્વાધ્યાય દ્વારા અહંકારને ગાળવાની પ્રક્રિયા કર્મમાર્ગી સમજાવતાં હતાં. તો પરમાત્મા પરત્વે અનન્ય પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણની ભાવનાની પરમ વાતો ભક્તિમાર્ગીઓ સમજાવી રહ્યાં હતાં. આમ, જ્ઞાન, કર્મ અને ભક્તિ એમ ઉપાસના પધ્ધતિના ત્રણેય માર્ગોના સમન્વય દ્વારા પરમ તત્ત્વને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તેની ચર્ચા જ્ઞાનીઓ કરી રહ્યાં હતાં. જ્ઞાન માર્ગમાં ક્યારેક જ્ઞાનનો અહંકાર આવવાનો „Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy