SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૬) ભાગવતતો સદેશ જે આપે છે. તે કૃપા છે. સદ્ગુરુ શું આપે, કેવી રીતે આપે તે જણાય નહિ પણ સંત આપતા અને શિષ્યમાં એ જતું એ નિશ્ચિત હતું. જેમ કોઇ છોડનો રોપ એક જગ્યાએથી લઈ બીજે રોપવો હોય તો માટીના પીંડ સાથે છોડને લઇ જઇ, બીજી જગ્યાએ કરેલા ખાડામાં તે છોડને રોપી, પાણી પાવું પડે છે. તેમ આત્મ-અનુભવી જ્ઞાની સદ્ગુરુના હૃદયમાંથી શિષ્યના હૃદયમાં જ્ઞાન રોપિત થતું. એ કાર્ય કેવળ કૃપાથી જ થતું. ધન અહીં કામમાં નહોતું આવતું. અહીં સદ્ગુરુ કૃપા તથા શિષ્યની પાત્રતા, નમ્રતા અને સમર્પણ ભેગાં થઈ કામ કરતાં હતાં. જ્ઞાની સદ્ગુરુ ત્યારે મુમુક્ષુ શિષ્યના માથે હાથ મૂકે, વચનથી કહે, કપાળે સ્પર્શ કરે, શિષ્યને ધઓ કે ટપલી મારે કે માત્ર શિષ્યમાં નયન એકાગ્ર કરે ત્યારે શિષ્યમાં-મુમુક્ષુમાં-જ્ઞાન ટ્રાન્સફર સ્થળાંતર થતું. સદ્ગુરુમાંથી શિષ્યમાં જ્ઞાન-શક્તિ પ્રવેશતી. આ કૃપા હતી. સંતનો આલાદ હતો અને શિષ્યની પૂરી પાત્રતા હતી. •“જીવ લાગી રહ્યો પરભાવમેં, સહ સ્વભાવ - લખે નહીં અપનો, પડીયો મોહ કે દાવમેં.” • પરમાં ન જવું હોય તો ભકિત, સ્વાધ્યાય, (મંત્રજપ, ધ્યાન આદિમાં રહેવું. સુખ અંદરથી આવે છે. • પ્રભુમાં પૂરા ડૂબો તેને સર્વતોભાવથી આધીન બનીને જીવો. • તમારા અને પરમાત્માના સ્પંદનોનું અંતર જેટલું ઓછું એટલો અભેદ. મનના અનેક પ્રકારના વિચિત્ર સ્વભાવમાનો એ પણ એક વિચિત્ર સ્વભાવ છે કે એ પોતાની વાતને પોતાના નામે રજૂ કરે છે. મજબુત પુરુષાર્થ, ધારદાર બુધ્ધિ, ગણતરિપૂર્વકની પ્રવૃત્તિ, પૂરતી સાવધાની હોય છતાં ધારી સફળતા ન મળે પણ નિષ્ફળતા મળે તેવું શા માટે બને છે? કારણ સંપત્તિના ક્ષેત્રે કર્મ મુખ્ય છે, પુરુષાર્થ ગૌણ છે અને ભક્તિના ક્ષેત્રે પુરુષાર્થ મુખ્ય છે કર્મ ગૌણ છે. મુનિ શ્રી ભાનવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy