SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૮) ભાગવતતો સંદેશ વાત છે. તમે કોઇને મળવા ગયા પણ યજમાન તમને આવકાર ન આપે તો તમને દુઃખ થાય છે. એ વાત તમે બીજાને કરો છો ત્યારે એ દુઃખ વધે છે. અને કોઇક બીજો તમારી એ વાત તમને જ કરે છે ત્યારે તમારું દુઃખ ઓર વધે છે. આ છે માણસની માનસિક ભૂમિકા. ભૂખે ભજન ન હોઈ ગોપાલા શારીરિક ભૂમિકામાં છે ભૂખ અને તૃષા શરીર છે એટલે એ આવવાનાં જ. પણ ભૂખ લાગે છે ત્યારે વ્યાકુળતા આવે છે. તેને વશ થયા તો મનડહોળાશે, પણ તમે શાંત રહ્યા તો તે તપ’ બની જાય છે. આમ માણસ હાથે કરીને પીડા ઊભી કરે છે. ઉત્તર પ્રદેશમાં ખાસ કહેવાય છે કે : ભૂખે ભજન ન હોઈ ગોપાલા, લે લો અપની કંઠી માલા. આમ શરીર પ્રત્યે જેટલી વધારે આસક્તિ હોય છે તેટલી વધારે પીડા થાય છે. એ જ પ્રમાણે તૃષાની પીડા પણ છે. એથી જ વ્રતોમાં ભૂખ-તરંસની પીડા પુરુષો કરતા બહેનો વધુ સહન કરે છે. સમત્વ કેળવો આધિ’ એટલે માનસિક પીડા અને ‘વ્યાધિ’ એટલે શારીરિક રોગ. વ્યાધિ હોય તેનો ઇલાજ કરવો, સારવાર કરવી, ઔષધ લેવાં પણ રહેવું તો સમત્વમાં જ. આધિ અને વ્યાધિ ફ્લેશ ઊભો કરે છે. તે ન થવા દેવો તે જ સમત્વ છે. તે ન થવા દેવો હોય તો સહનશીલ બનો. પરમાત્મામાં મન લગાડો પુરુષ સ્ત્રીમાં કે સ્ત્રી પુરુષમાં આસક્ત બને તો સાધનામાં હરકત આવે છે. માટે સાવધ રહીને, જાગૃત રહીને મનને પરમાત્મ સાધનામાં લગાડવું. તે પણ કાળ કોળિયો કરી જાય તે પહેલાં જ, એટલે કે અત્યારે જ. કેમકે ક્યારે મૃત્યુ આવશે તેની માણસને ખબર નથી. મૃત્યુ માણસને ગણતું નથી, ગણકારતું નથી કેતે આવે છે તેની જાણ કરતું નથી. અને આવે છે ત્યારે તેને કોઈ પણ રોકી શક્યું નથી. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy