SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૧૩૫) પણ ધ્યાનમાં માણસ એક લો પડે છે, તેથી તેને ત્યાં ડર લાગે છે. અને મંદિરમાં તેની સાથે ઘણા માણસો છે તેથી ત્યાં તેને બીક લાગતી નથી પણ એમ ટોળામાં રહીને પણ મન સાથે હોય તો ક્ષેત્રજ્ઞનો અનભવ થતો નથી. વળી જે મનમાં ફ્લેશ હોય તે વળી પાછો – સંસાર- પ્રપંચ-માયા-ઊભાં કરે છે. તો સૌ પ્રથમ તો ફ્લેશ જાય તો સાધના થાય. માણસમાં જ્ઞાન હોય તો જાણકારીનો અને અજ્ઞાન હોય તો વાસનાનો ફ્લેશ થાય છે. માટે અહમ્ રહિત જ્ઞાન થવું જોઇએ. મનનો વ્યાપાર શરીર દ્વારા કર્મ થાય છે. તેમાં મન ભળે છે તેથી વૃત્તિઓ પ્રગટે છે. માટે મન વૃત્તિથી દૂર થવું જોઇએ. પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અહમ્આ અગિયાર સાધનો વડે મન પોતાનો વ્યાપાર કરે છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એ પાંચ વિષયો કર્મેન્દ્રિયો દ્વારા વિષય ભોગવવા વૃત્તિને ઊભી કરે છે. આ વૃત્તિઓ વિષય તરફ જઇ સંસ્કારો ઊભા કરે છે. તેમાંથી થતું કર્મ નવો સંસાર ઊભો કરે છે. આ ચક્રમાંથી છૂટવા માટે જ માણસે સાધના વડે ધ્યાનમાં જઇને ક્ષેત્રમાં ડૂબવાનું છે. ॐ માણસને સાધકને એ વિમાસણ છે કે તેને મોક્ષનો માર્ગ જડતો નથી. પણ એમ નથી માર્ગ તો જડચો છે, મળ્યો છે. તમે માંસ નથી ખાતા, મદિરા નથી પીતા, દુરાચાર નથી કરતા, સ્ત્રી હોતો પુરુષ સામે નથી જોતા, પુરુષ હોતો પરસ્ત્રી સામે નથી જોતા આ બધા જ વિધેયાત્મક મુદ્દા છે એને જ નજર સમક્ષ રાખો નિષેધાત્મકને ન જુઓ. અને કોઇપણ જાતના કલેશ, કંકાશ, સંતપ અને કષાયો ઉગ્ર ન થાય તેની કાળજી રાખો. અપેક્ષા વિરુધ્ધ બની ગયેલા પ્રસંગે ઊભી થયેલી અકળામણ ઘણા સમય સુધી મન ઉપર કબજો જમાવી રાખે છે. તેથી સમતા પ્રાપ્ત કરવાની છે. કોઇના પણ દોશો ન જોઇ દ્વેષ ન કરવો. જગતમાં જે જે દેખાય છે તેનો સ્વીકાર કરવો. કંઇક બનવું છે તેથી દુઃખ થાવ છો. પણ જે છો તે જ રહો. મુનિ શ્રી ભાનુવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy