SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ (33) મન ઉપર કાબૂ મેળવો જ્ઞાન નમ્રતા લાવે રાજા રહુગણ અને ભરતજીનો સંવાદ ચાલે છે. ભરતજીએ રાજાને બહુ ઊંડાણથી જ્ઞાનની વાતો કરી. રહુગણ એવી તત્ત્વ વાર્તા સાંભળવા માટે યોગ્ય આત્મા હતો. પહેલાં તેનામાં સત્તાનો ગર્વ હતો તેથી એ તોછડો અને અવિનયી હતો. પણ ભરતજી સાથેના વાર્તાલાપથી એ અવગુણ એનામાંથી ગયો અને તે નમ્ર અને વિવેકી બન્યો. એક જ માણસમાં આવા ઘણા સ્વરૂપો હોય છે. સંત સમાગમ અને વ્યક્તિના પુરુષાર્થથી સાચું સ્વરૂપ ખીલે છે. રાજામાં એ બન્યું છે. મને સૂક્ષ્મ સાધન છે - ભરતજી કહે છે: “રાજન, મનની શક્તિનો ખ્યાલ માણસને આવ્યો નથી. વિચાર કરવાનું સાધન મન છે. એમ કહેવાય છે કે વિચાર કરવાની ક્ષમતા જેનામાં છે તે મન છે. મન માણસનું સૂક્ષ્મ સાધન છે. પાંચ ઇંદ્રિયો સ્થળબહારનાં-સાધનો છે. આંખ રૂપ જોઈ શકે છે, જીભ સ્વાદ માણી શકે છે, કાન સાંભળી શકે છે, નાક સૂધી શકે છે, ચામડી સ્પર્શ કરી શકે છે, એમ મન વિચાર કરી શકે છે. માણસમાં પ્રકૃતિના ત્રણ ગુણો હોય છે. તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણ. આ ત્રણે તેનામાં વ્યાપ્ત હોય છે. તમોગુણનું કાર્યક્ષેત્ર તમો ગુણ-જડતા, અતિ આહાર, અતિ નિદ્રા, આળસ, પ્રમાદ અતિ કામના લક્ષણો ધરાવે છે. સાધકે આ ગુણ સર્વ પ્રથમ જીતવો જ પડશે. ભક્તિ, તપ અને ધ્યાન શરીર દ્વારા થાય છે, માટે સારી રીતે કરી શકાય તેવી સ્થિતિમાં શરીર હોવું જોઇએ. જો આસનની સ્થિરતા ન કેળવી હોય તો ધ્યાન થઈ શકે નહિ. માણસનું સો વર્ષનું આયુષ્ય હોય તેમાંથી તે પચાસ વર્ષ ઊંઘમાં ગાળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy