SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતતો સદેશ (૧૨૫) છે. કર્મતંત્રને કામ કરે છે તેમાં માણસફેરફાર કરી શક્તો નથી. પણ ભાવતંત્રમાં ફેરફાર થવો શકય છે. માટે માણસે તેના ઉપર કામ કરવા જેવું છે. શુભ ભાવ શુભ પરિણામ લાવે છે અને અશુભ ભાવ અશુભ પરિણામ લાવે છે. અશુભ ભાવ નહિ આવવા દઈ શુભ ભાવ આવતા રહે તેવું માણસે કરવા જેવું છે. ત્રીજી એક અવસ્થાને ભાવ રહિત થવાની છે. તેને જ ગીતા ત્રિગુણાતીત અવસ્થા કહે છે. તમોગુણ, રજોગુણ અને સત્વગુણથી રહિત એ અવસ્થા છે. એ અવસ્થા પામ્યા પછી જ ચૈતન્યનો અનુભવ થાય છે. કારણ એ અવસ્થામાં અકર્મ છે, કોઈ કર્મ જ ત્યાં નથી. જેમ પેટ્રોલ નથી તો કાર ન ચાલે, તેમ ભાવતંત્ર કામ ન કરે તો કર્મબંધ ન થાય. એટલે કે કર્મ થતું હોવા છતાં તેમાં રાગ-દ્વેષ ન હોય. તેથી તેવી વ્યક્તિ માત્ર જૂનાં કર્મ ખપાવે, નવાં કર્મ બાંધે નહિ. જડ ભરતજીની આવી ઉચ્ચ અવસ્થા છે. સંપૂર્ણ ગેરહાજર છે જ્ઞાની જ્યારે ભોગ આપવા માટે દેવીની પ્રતિમા પાસે તેમને લઈ ગયા. દેવીએ પ્રગટ થઈ ભોગ લેવા ના કહી ત્યારે પણ જડ ભરતજી “સારું થયું એટલું પણ નથી કહેતા કે મનમાં એવો ભાવ નથી લાવતા. કારણ તેઓ કોઈ પણ સ્થિતિથી પર થઈ ગયા છે. દેવીએ વધ કરવાવાળાને શિક્ષા આપી, વધ કરવાવાળા નરમ થઇ ગયા અને ભરતજીની ક્ષમા માગી તો પણ ભરતજીતો શાંત જ છે. તેમના મનમાં કશો પણ ભાવ નથી. જડ ભરતજી ‘ટોટલ એબસન્ટ –‘સંપૂર્ણ ગેરહાજર’ – છે. તેઓ માત્ર તીવ્ર બુદ્ધિશાળી જ નહોતા, એ ‘પ્રાજ્ઞ’ પણ હતા. જ્ઞાની ભારમુક્ત છે જ્યારે પાલખી ઉપાડેલી હતી ત્યારે મજૂરોને કોઈ સમસ્યા નહોતી પણ જડ ભરતજીતો જીવ જાળવીને બચાવીને ચાલતા હતા. તેથી ચાલતા ચાલતાં જ્યારે કોઈ જીવ વચ્ચે આવી જતો તો તેઓ કૂદીને તેને બચાવતા. તેથી રાજા રહૂગણને તકલીફ પડતી માટે તે ક્રોધાવિષ્ટ બન્યા. રાજા હોવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy