SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (31) જડ ભરજીની અવસ્થા માટીના કોરા ગોળા જેવા બનો મહાપુરુષોને કોઈપણ વાત સમજતાં વાર નહિ, સમજયા પછી સ્વીકારતાં વાર નહિ, સ્વીકાર્યા પછી આચરણમાં મૂકતાં વાર નહિ. આપણને આમનાથી ઊલટું છે, દરેક બાબતમાં વાર લાગે છે. ભગવાન મહાવીર માટીના બે ગોળાનો દાખલો આપતા. એક ગોળો ભીની માટીનો અને બીજો તન પાણી વગરનો કોરો. આ ગોળા દિવાલ ઉપર પછાડો તો જે ભીનો છે તે ચોંટી જશે અને કોરો છે તે ભાંગીને ભૂકો થશે પણ ચોંટશે નહિ. માણસે કોરા ગોળા જેવા અનાસક્ત બનવાનું છે નહિ કે ભીના ગોળા જેવા આસક્ત-ચોંટી પડે તેવા. માણસ કારણ શરીર લઈને આવે છે શરીરમાં રહેલું ચૈતન્ય, શરીર ગયા પછી પણ એનું એ જ રહે છે. શરીર બદલાય છે. માણસ જ્યાંથી આવ્યો ત્યાં જૂનું શરીર મૂકીને આવ્યો. નિયમ પ્રમાણે તેને નવું શરીર મળ્યું. સુખ-દુઃખ જે આવશે તે આત્માએ ભોગવવાના છે. આત્મા યાત્રા કરે છે ત્યારે સ્થૂળ શરીર મૂકીને જાય છે પરંતુ સાથે કારણકાર્મણ શરીર લઈને જાય છે. એ શરીરમાં તેણે કરેલાં કર્મ, સંસ્કારો ભરેલા છે. તે નવા શરીરમાં ભોગવવાના છે. માણસ કર્મતંત્રનો વિરોધ ન કરે ફેકટરીમાં એક સરખો માલ બને છે તેમ માણસ એક સરખા નથી બનતા. પ્રત્યેક માનવમાં કંઇકને કંઇક ફરક છે જ. શરીરમાં તોફરક છે જ, પણ પ્રકૃતિમાં યે ફરક છે. અરે ખૂબી તો જુઓ. એક વૃક્ષ ઉપર લાખો-કરોડો પાંદડા હોય પણ કોઇ બે પાંદડા એક સરખાં રૂપે રંગે, ગુણે નથી હોતાં. એ જ પ્રમાણે માણસની ડીઝાઈન પણ સરખી નથી હોતી. કોઈ પણ અંગમાં ફરક હોય જ છે. આ હકીક્ત સમજીને સ્વીકારીને માણસે જીવન જીવવાનું છે. અને એટલે જ જીવનમાં કંટાળો આવે એવું સતત બનતું જ હોય, ત્યારે કંટાળવાનું નથી. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy