SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતતો સદેશ (૧૦૫) તો જગતમાં પાછા આવવાનો સંભવ રહ્યો હોત. જ્યાંથી પાછા વળવાનું નથી દરેક સંપ્રદાયમાં દર્શનમાં, અલગ-અલગ રીતે આવી ભૂમિકાઓનું વર્ણન કરેલું છે. પાતંજલ યોગ સૂત્રમાં આઠ ભૂમિકાઓ છે, પાશુપતમાં સાત છે, જૈન દર્શનમાં ચૌદ ભૂમિકાઓ છે. તેમાં અગિયારની ભૂમિકા સુધી જનારને પાછા ફરવાનું જોખમ છે. જો સાધક બારમી ભૂમિકામાં પ્રવેશ કરી જાય તો એ જોખમ નથી રહેતું. જે. કૃષ્ણમૂર્તિ કહે છે કે : “જો જીવનની પ્રત્યેક ક્રિયામાં ટોટલ અવેરનેસ આવી જાય, એકશન-રિએકશનમાં પણ જાગૃત રહેવાય તો એ જાગૃત પુરુષ એ યાત્રા પાર કરી શકે છે જ્યાંથી પાછા વળવાનું નથી. સાધકે પોતાની સાધનાની તુલના આ અવસ્થા પ્રાપ્ત કરેલાં સાથે કરવાની છે. જીવનની પ્રત્યેક ક્રિયાઓ જાગૃતિથી કરો ભગવાન મહાવીરને એમના શિષ્ય પૂછયું : “ભગવન્! અમે કેવી રીતે કર્મ કરીએ, ચાલીએ, બેસીએ, ઊઠીએ, ખાઇએ, પીએ, ઊંધીએ કે જેથી પાપકર્મ ન બંધાય તે કહો.” ભગવાને કહ્યું : જીવનની હરેક ક્રિયાઓ તમે જાગૃતિથી કરો, જયણાપૂર્વક-યતનાપૂર્વક કરો અને જાગીને જ જીવો. માણસને સંપૂર્ણ મુક્ત અવસ્થાન મળે ત્યાં સુધી તેમણે જાગૃત જ રહેવું જોઇએ. પ્રથમ તો તેનામાંથી રાગ, દ્વેષ, મોહ, લોભ, કામ, ક્રોધ સંપૂર્ણપણે જાય ત્યાં સુધી તે જાગૃત રહે. સર્વ દોષોનો સર્વથા ક્ષય થાય. એ તેણે ધ્યાનમાં રાખવાનું છે. પ્રભુને પ્રાર્થના મોહ રૂપી મદિરા માનવે તૃષ્ણાના પાત્રમાં પીધી છે તેથી તેને છાક ચઢયો છે. માટે પ્રભુને એવી પ્રાર્થના કરો કે : માત્રને માત્ર મને તું જાગૃત કર, સદા હોશમાં જ રાખ, તેમાં જ જીવાડ. જો એ રીતે જીવાશે તો ગુસ્સો નહિ થાય, વિકારો નહિ પજવે. માણસ સતત એ યાદ રાખે કે ટોટલ અવેરનેસર મળે ત્યારે જ પતન થવાની શક્યતા નથી રહેતી તેથી જરાક ઓછી અવસ્થામાં પતનની શક્યતા છે જ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy