SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર } યોગ, ઉપયોગ અને શરીરદ્વાર, [૩૮૯ અપાન્તરાલગતિમાં હોય છે, ત્યાં પ્રથમના બે સામાયિક (સમ્યક્ત્વ-શ્રુતસામાયિક ફકત) પૂર્વપ્રતિપન્ન હોય છે, પ્રતિપદ્યમાન નથી હોતાં. અને કેવલીસમુદ્દાત વખતે સમ્યક્ત્વ સામાયિકના અને ચારિત્ર સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે. એકલા વચનયોગ કે એકલા મનોયોગમાં કોઈ સામાયિકની પ્રાપ્તિ યા પૂર્વપ્રાપ્તિ નથી હોતી; પણ કાયયોગ અને વચનયોગ એ બે યોગવાળા બેઈન્દ્રિયાદિમાં ઉત્પન્ન થયેલા સાસ્વાદનગુણસ્થાનવર્તિ જીવને સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે. સાકાર અને અનાકાર એ બન્ને પ્રકારના ઉપયોગમાં ચારે સામાયિકની પ્રાપ્તિ થાય છે અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. ઔદારિક શરીરમાં ચારે સામાયિકની પ્રાપ્તિ બન્ને પ્રકારે હોય છે. વૈક્રિય શરીરમાં સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિકની ભજના હોય છે, એટલે કે દેવાદિક કોઈ વખત તે સામાયિક પામે છે અને કોઈ વખત નથી પામતા, તથા વૈક્રિય શરીરવાળા તિર્યંચ, મનુષ્યો દેશવરતિ અને સર્વવિરતિ પણ નથી પામતા, કારણ કે તેઓ પ્રમત્ત હોય છે, એ શરીરમાં પૂર્વપ્રતિપક્ષ તો ચારે સામાયિક હોય છે. બાકીના શરીરોમાં સામાયિક પ્રાપ્તિનો વિચાર ઉપર કહી ગયેલા યોગાનુસારે સમજી લેવો. શિષ્ય :- “સવારો નષ્ટ્રીએ સરોવોનોવત્તસ્ય મયંતિ” એ આગમોક્ત વચનથી સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગવન્ત આત્માને જ થાય છે, તો પછી અહીં બંને ઉપયોગમાં ચારે સામાયિક હોય છે, એમ શી રીતે કહો છો ? આચાર્ય :- એ આગમોક્ત નિયમ વૃદ્ધિ પામતા પરિણામવાળા જીવની અપેક્ષાએ છે, પણ જે અવસ્થિત પરિણામવાળો જીવ સાકાર ઉપયોગમાં સામાયિક પામે છે, તે બીજા અનાકાર ઉપયોગમાં પણ પામે છે. શિષ્ય :- જો એ પ્રમાણે અનાકાર ઉપયોગમાં પણ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તો આગમમાં “સાકાર ઉપયોગવન્તને લબ્ધિઓ થાય છે.” એમ શાથી કહ્યું હશે ? આચાર્ય :- ઘણા ભાગે વર્ધમાન પરિણામવાળો જ લબ્ધિઓ પામે છે, તેથી આગમમાં “સાકાર ઉપયોગવન્તને લબ્ધિઓ થાય છે.” એમ કહ્યું છે, અને અવસ્થિત પરિણામવાળો જીવ તો યદચ્છાએ કોઈ વખત ઔપમિક સમ્યક્ત્વાદિ પામે ત્યારે જ લબ્ધિ પામે છે. એ રીતે અનાકાર ઉપયોગવન્તને ભાગ્યે જ લબ્ધિ પ્રાપ્ત થતી હોવાથી આગમમાં અનાકાર ઉપયોગવન્તને લબ્ધિઓ નથી કહી. જેમ “સવાને નીઓ સરોવોનોવત્તસ ભવંતિ' સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગવંતને થાય છે.” ઈત્યાદિ આગમમાં કહ્યું છે : તેમ “વોગદુર્ગામ વડો ડિવન્તે” બન્ને પ્રકારના ઉપયોગમાં ચારે સામાયિક પ્રાપ્ત થાય છે.' ઈત્યાદિ પણ આગમમાં કહ્યું છે, આ પરસ્પરવિરુદ્ધ આગમવચનની વ્યવસ્થા કરવી જોઈએ, તે આ પ્રમાણે-સમ્યક્ત્વ પામીને મિથ્યાત્વે ગયેલા હોય અને ફરીથી કોઈ શુભકર્મના ઉદયથી દરેક સમયે વૃદ્ધિ પામતા અધ્યવસાયવાળા જીવોને જે ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy