SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮] દ્રવ્યાર્થિકનયનું વિસ્તારથી સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કે કલ્પિત સદ્ભાવ માનવામાં કોઈપણ પ્રકારની હાનિ નથી. અને તેથી કલ્પિત દ્રવ્યની સાથે ગુણનો ભેદ માનતાં સામાયિક કલ્પિત જીવ દ્રવ્યનો ગુણ છે, એમ માનવામાં કોણ અટકાયત કરી શકે એમ છે ? જેમ ગુણ સમુદાયથી વ્યતિરિક્ત કલ્પિત પત્રાદિ દ્રવ્યના નીલતાદિ ગુણો પત્રસંતાનમાં ઉત્પન્ન થઈ નાશ પામે છે તેથી તે ગુણો તેનાથી ભિન્ન કહેવાય છે, તેમ અહીં પણ કલ્પિત જીવ દ્રવ્યનો સામાયિક ગુણ તેનાથી ભિન્ન છે, એમ માનવામાં કંઈ દોષ નથી. આ સ્થળે એમ ન કહેવું કે “દેવદત્તની ગાયો” ઈત્યાદિ વાસ્તવિક સંબંધવાળી બે વસ્તુની જેમ દ્રવ્ય-ગુણના વાસ્તવિક સંબંધમાં જ ષષ્ઠીનિર્દેશ ઘટે છે, અન્યત્ર દ્રવ્યના કલ્પિત સંબંધમાં નથી ઘટતો, કેમકે “રાહુનું મસ્તક, શિલાપુત્રનું શરીર.” ઈત્યાદિ કલ્પિત પણ ષષ્ઠીનિર્દેશ થાય છે. તદનુસાર દ્રવ્યપર્યાયના સંબંધમાં પણ ષષ્ઠીનિર્દેશ થાય છે. ગુણ-સંતાનનો ભેદ જણાવનાર ધર્મ ભેદના અભાવે સ્વસ્વરૂપની જેમ ગુણ અને દ્રવ્યરૂપ સંતાનની અભેદતા માનવી જ યોગ્ય છે, તો પછી ગુણથી વ્યતિરિક્ત કલ્પિત દ્રવ્યનો સદ્ભાવ શા માટે માનવો જોઈએ ! એવી શંકા થાય, તો તે અયોગ્ય છે, કારણ કે ભેદ જણાવનાર ધર્મભેદનો અભાવ છે, એ માન્યતા અસત્ય છે. ઉત્પાદ-વ્યયસ્વભાવવાળા ગુણો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, પણ દ્રવ્યરૂપ સંતાન તે પ્રમાણે ઉત્પાદ-વ્યય નથી પામતો. આ એક રીતે ગુણ-સંતાનનો ધર્મભેદ છે. તથા સામાયિકાદિ ગુણો અથવા નીલતાદિ ગુણો તે સંતાનમાંથી ઉત્પન્ન થાય છે, પણ સંતાનગુણોથી ઉત્પન્ન નથી થતો. આથી તે સંતાન કારણ છે, પણ કાર્ય નથી; અને ગુણો કાર્ય છે, પણ કારણ નથી. આ બીજી રીતે પણ ગુણ-સંતાનનો ધર્મભેદ છે માટે જીવાદિ દ્રવ્યનો અભાવ નથી પણ સદ્ભાવ છે. અથવા “સામાયિક શું દ્રવ્ય છે કે ગુણ છે” એ ચિંતામાં દ્રવ્યનયના અભિપ્રાયે સામાયિક દ્રવ્ય છે, અને પર્યાયનયના અભિપ્રાયે ગુણ છે એમ ૨૬૫૮મી ગાથામાં પૂર્વે કહ્યું છે. અથવા દ્રવ્ય-ગુણની વિચારણામાં એ નથી કહ્યું : પરંતુ “સામાયિક શું છે ?” એ પ્રસ્તુત દ્વારની અંદર દ્રવ્ય-પર્યાયાસ્તિક નયમાંના કોઈપણ એક નયના મતે ઉદાસીન વૃત્તિવાળા આચાર્યશ્રીએ યુક્તિ વડે આ પ્રમાણે કહ્યું કે - દ્રવ્યનયના અભિપ્રાયે સામાયિક જીવથી ભિન્ન નથી, પણ જીવરૂપજ છે આથી આ નયના અભિપ્રાયે હવે પછી કહેવાશે તે યુક્તિઓ વડે જીવાદિ દ્રવ્ય જ વિદ્યમાન છે અને તેથી વ્યતિરિક્ત ગુણો પરમાર્થથી અસત્ છે. તથા પર્યાય નયના અભિપ્રાયે સામાયિક જીવ દ્રવ્યથી ભિન્ન છે, કેમકે પૂર્વોક્ત યુક્તિઓ વડે સામાયિકાદિગુણોથી જીવ ભિન્ન નથી. આથી આ નયના અભિપ્રાયે ગુણો જ પરમાર્થથી વિદ્યમાન છે. જીવાદિ દ્રવ્ય તો કલ્પનામાત્રથી જ વિદ્યમાન પણ છે પરમાર્થથી નહિ. ૨૬૬૦ થી ૨૬૬૪. હવે બીજા દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ વિસ્તારથી કહે છે. Jain Education International बियरस दव्वमेत्तं नत्थ तदत्थंतरं गुणो नाम । सामन्नावस्थाणाभावाओ खरविसाणं व ।। २६६५।। आविब्भाव-तिरोभावमेत्तपरिणामि दव्वमेवेयं । निच्चं बहुरूपि नडो व्व वेसंतरावन्नो || २६६६ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy