SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] જીવ અને કર્મનો સર્પ-કંચુક જેવો સંબંધ માનવામાં દોષ. [૩૨૯ તે વેદના કારણ વિના થતી હોય, તો સિદ્ધ પણ વેદનારહિત નહિ રહે, અને જો તે આંતરવેદના બાહ્ય નિમિત્તથી થતી હોય તો બાઘનિમિત્તના અભાવે તે અંતરવેદના ન થવી જોઇએ, પરંતુ બાહ્ય વેદના વિનાનાને પણ અંતરવેદના ઘણીવાર જણાય છે અથવા જો કંચુકવતુ બાહ્ય(ભિન્ન)દેશમાં રહેલું કર્મ પણ વેદના કરતું હોય, તો એ પ્રમાણે અન્યના શરીરગત કર્મ અન્યને વેદના કેમ ન કરે? ૨૫૨૨ થી ૨૫૨૭. આચાર્ય :- “સર્પકંચુકની જેમ જીવની સાથે કર્મ સ્પર્શીને જ રહેલું છે, પણ ક્ષીરનીરની જેમ સંબંધ નથી” એમ તારી માન્યતા હોય, તો હું તને એ સંબંધમાં પૂછું છું કે જીવના દરેક પ્રદેશે કર્મ સ્પર્શીને કહ્યું છે કે જીવના પર્યતે ત્વચાને જ સ્પર્શીને રહ્યું છે? જો જીવના દરેક પ્રદેશ તે સ્પર્શીને રહેલું હોય, તો જીવની અંદર કર્મને આકાશની જેમ સર્વગત માનવું પડશે, કેમકે જીવના દરેક પ્રદેશે કર્મ વ્યાપ્ત હોવાથી કોઇપણ પ્રદેશ કર્મ વિનાનો નથી, કે જેથી કર્મ અસર્વગત કહી શકાય. એ પ્રમાણે કર્મનું સર્વગતપણું સિદ્ધ થવાથી કર્મનો સંબંધ જીવ સાથે સર્પકંચુકવતુ છે, એ દૃષ્ટાંત અસંબદ્ધ થાય છે. | દ્વિતીય વિકલ્પાનુસાર “જેમ સર્પની ત્વચાએ કંચુક સ્પર્શીને રહેલ છે, તેમ કર્મ પણ જીવની બહાર શરીરની ત્વચાને સ્પર્શીને રહેલ છે” એમ જો કહેતો હો, તો જીવને એક ભવથી બીજા ભવે જતાં કર્મ તેની સાથે નહીં જાય, કેમકે બાહ્ય શરીરના મેલની જેમ કર્મ ત્વચાને જ સ્પર્શીને રહેલ માનેલું હોવાથી સાથે ન જાય. એમ નાનું બાળક પણ પ્રગટપણે જાણી શકે છે, એ પ્રમાણે કર્મ જીવ સાથે ન જાય, તો કર્મના અભાવે સર્વ જીવોનો મોક્ષ થવાના યોગે સંસારનો અભાવ થાય. કર્મના અભાવે પણ જો કારણ સિવાય સંસાર માનવામાં આવે, તો જે લોકો બ્રહ્મચર્ય-તપ-નિયમવ્રત આદિ ધર્માનુષ્ઠાનો કરે છે, તે લોકોને પણ સંસાર-પ્રાપ્તિ જ થાય, વળી જો સંસારની પ્રાપ્તિ કારણ સિવાય થતી હોય, તો મુક્તાત્માઓને પણ સંસાર-પ્રાપ્તિ થાય અને મોક્ષમાં અવિશ્વાસ થાય. વળી જો કંચુકવતુ શરીરની બહાર કર્મ હોય અને જીવની અંદર ન હોય, તો શરીરની અંદર શૂળ-ચૂંક આદિ જે વેદના થાય છે તે ક્યા નિમિત્તથી થાય છે? વેદનાના કારણભૂત શરીરની અંદર કર્મના અભાવે પણ કારણ સિવાય અંતરવેદના થાય છે,” એમ માનવામાં આવે, તો સિદ્ધાત્માઓ પણ વેદનારહિત નહિ ગણાય. કેમકે નિષ્કારણતા ત્યાં પણ સમાન છે. ગોષ્ઠામાહિલ :- બાહ્ય વેદનાના નિમિત્તે અંતરવેદના થાય છે, એટલે કે દંડપ્રહારાદિજન્ય બાહ્યવેદના શરીરની અંદર વેદના કરે છે.. આચાર્ય - જો એમ હોય, તો દંડપ્રહારાદિજન્ય બાહ્યવેદનાના અભાવે અંતર વેદના પણ ન થવી જોઈએ, પરંતુ એમ થતું નથી; બાહ્ય વેદનાનો અભાવ છતાં પણ શૂળાદિજન્ય અંતરવેદના ઘણીવાર જણાય છે, જો કદી દંડપ્રહારાદિ જન્ય બાહ્યવેદના હોય, તો જ અંતરવેદના થાય એવો નિયમ જ હોય તો તારા કહેવા મુજબ થાય, પરંતુ એમ થતું નથી. એથી અંતરવેદનાના કારણભૂત કર્મનો પણ અંદર સદ્ભાવ છે એમ માનવું જોઈએ, તથા કર્મ શરીરની અંદર નથી એમ માનવું યોગ્ય નથી. ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy