SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬) દીર્ઘ ક્રિયાકાલ નામના દોષનું ખંડન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સ્થવિરો :- દરેક સમયે ભિન્ન કાર્યોની પરંપરા ઉત્પન્ન થાય છે, પરંતુ તમે તેમાં નિરપેક્ષ હોવાથી એ ઉત્પન્ન થતી કાર્ય પરંપરાને ગણતા નથી. કારણ કે તમે ઘટ સંબંધી અભિલાષવાળા છો એટલે કે “અહીં ઘટ ઉત્પન્ન થશે” એવા અભિલાષવાળા તમે છો આથી દરેક સમયે ઉત્પન્ન થતી કાર્યની પરંપરા તમે જોતા નથી, એટલે દરેક જુદા જુદા કાર્ય સંબંધી જે સર્વ કાળ છે તેને ઘટમાં યોજો છો, એટલે કે “આ સર્વ ઘટોત્પત્તિ કાળ છે.” એમ તમે માનો છો. પણ તમારો એ અનુભવ મિથ્યા છે. કેમકે ઘટોત્પત્તિકાળ તો માત્ર એક જ સમયનો છે, અને તમે તો ઉપર કહ્યા મુજબ સર્વ કાળને ઘટોત્પત્તિનો જ કાળ માનો છો. જમાલિ - દરેક સમયે ઉત્પન્ન થતી કાર્યની પરંપરા તો કંઈ જણાતી નથી, પણ શિવક, સ્થાન વગેરે માત્ર કેટલાક કાર્યો જ જણાય છે. સ્થવિરો - શિવકાદિ જે કાર્યો જણાય છે, તે તો સ્થૂલ કાર્યો છે, પરંતુ જે દરેક સમયે ઉત્પન્ન થનારાં સૂક્ષ્મ કાર્યો છે, તે કાર્યો છઘસ્થ વ્યક્તિ પ્રગટપણે જાણી શકે એમ નથી. તેવા સૂક્ષ્મ કાર્યોને ગ્રહણ કરનાર તો અનંત સિદ્ધ અને કેવળી ભગવંતનાં જ્ઞાનો જ છે. અને એ જ્ઞાનો પણ દરેક સમયે ઉત્પન્ન થાય છે, તેથી તે પણ કાર્યો જ છે. એટલે દરેક સમયે કાર્યની પરંપરા ઉત્પન્ન થાય છે, એમ જે કહ્યું છે, તે યોગ્ય જ છે. જમાલિ - કાર્યોત્પત્તિમાં દીર્ઘ ક્રિયાકાળ ન માનતાં, માત્ર એક જ સમય માનવામાં આવે છે, તો પછી છેલ્લા સમયે જ ઘટાદિ કાર્ય ઉત્પન્ન થાય છે, એવો નિયમ શા માટે હોવો જોઈએ ? પહેલા સમયે જ કાર્ય કેમ ન કરાય ? સ્થવિરો - કારણ સિવાય કાર્ય થઈ શકે નહિ. ઘટાદિ કાર્યનું કારણ અન્ય સમયે જ હોય છે, પણ પ્રથમ સમયે હોતું નથી, એટલે ત્યાં પ્રથમ સમયાદિમાં કાર્ય પણ નથી થતું. જ્યાં કાર્ય હોય ત્યાં જ કારણ હોય, જ્યાં કાર્ય ન હોય, ત્યાં કારણ પણ ન હોય; એમ અન્વય વ્યતિરેકથી ઘટાદિ કાર્યનું કારણ અન્ય સમયે જ જણાય છે, તેથી તેનું કાર્ય પણ ત્યાં જ ઉત્પન્ન થાય છે. આથી “અન્ય સમયે કાર્યોત્પત્તિ થાય” એ નિયમ યુક્તિપૂર્વક યોગ્ય જ છે. વળી એ જ કારણથી વર્તમાનક્રિયા સમયે કરાતું કાર્ય, અવશ્ય કરેલું જ કહેવાય; અને જે કાર્ય કરેલું હોય, તેની ભજના જાણવી, કારણ કે કેટલુંક કરેલું કાર્ય ક્રિયા થતી વખતે કરાતું કહેવાય છે, અને બીજાં ક્રિયા ઉપરમ થયા પછી ચક્રાદિ પરથી ઉતરેલું ઘટાદિ કાર્ય, કરાતું ન કહેવાય, કેમકે તેની ક્રિયાનો ઉપરમ થઈ ગયો છે - ક્રિયા બંધ પડેલ છે. ૨૩૧૮-૨૩૧૯-૨૩૨૦. વિરોએ કહેલી યુક્તિઓ પ્રસ્તુત સંથારામાં યોજીને જમાલિ પુનઃ પૂર્વપક્ષ કરે છે, અને સ્થવિરો તેનો ઉત્તર આપે છે. जं जत्थ नभोदेसे अत्थुब्बइ जत्थ जत्थ समयम्मि । तं तत्थ तत्थमत्थुयमत्थुवं तंपि तं चेव ॥२३२१॥ बहुवत्थत्तरणविभिण्णदेसकिरियाइकज्जकोडीणं । मण्णसि दीहं कालं जड़ संथारस्स किं तत्थ ? ॥२३२२।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy