SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨] પ્રમાણકાળ તથા પોરિષીકાળનું સ્વરૂપ. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (ધાન્યને માપવાને) પ્રસ્થકના માનની જેમ આ પ્રમાણકાળ છે અને તે પ્રમાણકાળ અદ્ધાકાળનો વિશેષ ભેદ છે અને તે પ્રમાણકાળ મનુષ્યક્ષેત્રમાં જીવ અજીવાદિની સ્થિતિના વ્યવહાર માટે અહોરાત્રરૂપ કહેલ છે. તથા એ પ્રમાણકાળ બે પ્રકારે કહેલ છે. દિવસ પ્રમાણકાળ અને રાત્રિ પ્રમાણકાળ તેમાં ચાર પરિષીવડે દિવસ થાય છે અને ચાર પરિષી વડે એક રાત્રિ થાય છે. ૨૦૬૮ - ૨૦૬૯. હવે પોરિષીકાળનું સ્વરૂપ કહે છે. पोरिसिमाणमनिययं दिवस-निसावुड्डि-हाणिभावाओ । हीणं तिन्नि मुहुत्तद्धपंचमा माणमुक्कोसं ।।२०७०॥ वुड्ढी बावीसुत्तरसयभागो पइदिणं मुहत्तस्स । एवं हाणीवि मया अयणदिणभागओ नेया ॥२०७१॥ उक्कोस-जहण्णाणं जदंतरालमिह पोरिसाणं तं । तेसीयसमविभत्तं वुड्ढी हाणिं च जाणाहि ॥२०७२।। દિવસ અને રાત્રિની વૃદ્ધિ હાનિના ભાવથી પરિષીનું પ્રમાણ નિયત નથી. પરિષીનું જઘન્ય પ્રમાણ ત્રણ મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી સાડાચાર મુહૂર્તનું છે. દરરોજ મુહૂર્તના એકસો બાવીસમા ભાગની વૃદ્ધિ થાય છે અને હાનિ પણ એટલી જ થાય છે. આ હાનિ-વૃદ્ધિ ઉત્તરાયણદક્ષિણાયનના દિવસના ભાગે જાણવી. અથવા ઉત્કૃષ્ટ અને જઘન્ય પરિષીના પ્રમાણની વચ્ચે જે ત્રણ ઘટીકા પ્રમાણકાળ છે, તેમાં એકસો ત્રાસીમાં ભાગની વૃદ્ધિ અને હાનિ દરરોજ જાણવી. ૨૦૭૦ થી ૨૦૭૨. - દિવસ અથવા રાત્રિનો ચોથો ભાગ તે પોરિષી કહેવાય છે એ પોરિષીનું પ્રમાણ હંમેશા નિયત હોતું નથી, દિવસ અથવા રાત્રિની વૃદ્ધિનહાનિ થતાં તેની પણ વૃદ્ધિ હાનિ થાય છે. શિયાળામાં મકરસંક્રાન્તિના દિવસે પોરિષીનું પ્રમાણ સર્વથી ઓછું હોય છે એટલે તે ત્રણ મુહૂર્ત અથવા છ ઘટિકાનું હોય છે પણ તે જ દિવસે રાત્રિ સંબંધી પરિષીનું પ્રમાણ વધારેમાં વધારે ોય છે, અને તે સાડાચાર મુહૂર્ત અથવા નવ ઘટિકાનું હોય છે. - કર્ક સંક્રાન્તિના દિવસે દિવસ સંબંધી પોરિષીનું પ્રમાણ વધારેમાં વધારે હોય છે અને તે સાડાચાર મુહૂર્ત અથવા નવ ઘટિકાનું હોય છે, તથા તે જ દિવસે રાત્રિ સંબંધી પોરિષીનું પ્રમાણ ઓછામાં ઓછું હોય છે, અને તે ઉપર કહ્યા મુજબ ત્રણ મુહૂર્ત અથવા છ ઘટિકાનું હોય છે. ઉપર જે હાનિ વૃદ્ધિ કહી છે, તેમાં જઘન્ય પોરિષીના દિવસથી આરંભીને ઉત્કૃષ્ટ પરિષીના દિવસપર્યત દરરોજ એક મુહૂર્તના એકસોબાવીસમા ભાગની વૃદ્ધિ થાય છે અને ઉત્કૃષ્ટ પરિષીના (દિવસથી આરંભીને પુનઃ જઘન્ય પોરિષિના) દિવસ સુધી દરરોજ એટલી જ હાનિ થાય છે, આ વૃદ્ધિ હાનિ ઉત્તરાયણ અને દક્ષિણાયનના દિવસથી જાણવી. મતલબ કે છ મહીને ઉત્તરાયણ થાય છે અને બીજા છ મહીને દક્ષિણાયન થાય છે તેમાં ઉત્તરાયણમાં દરરોજ ચાર ચાર પળની દિવસમાં વૃદ્ધિ થાય છે, એ પ્રમાણે વધતાં ઉત્કૃષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy