SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] અગિયારમા ગણધરનો વાદ. [૧પ૯ સંયોગ હોવાથી તેનો વિયોગ ન થાય, તેથી સંસારનો અભાવ થઈ ન શકે. (માટે મોક્ષનો અભાવ છે.) ૧૯૭૨ થી ૧૯૭૬. મેતાર્થ પંડિતે પોતાના શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા લીધી, એમ પ્રભાસપંડિતે જાણ્યું એટલે તે પણ ગર્વ રહિત થઈને વિચારવા લાગ્યા કે હું ભગવંત પાસે જઈને મારા સંશયનો છેદ કરું. એમ વિચારીને તે ભગવંત પાસે આવ્યા, એટલે પરમ કૃપાળુ સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વર શ્રી મહાવીરદેવે તેમને નામ અને ગોત્રથી બોલાવ્યા, અને તેના મનમાં હતો તે સંશય વ્યક્ત કરીને બોલ્યા કે “હે આયુષ્યમનું પ્રભાસ ! તને મોક્ષની વિદ્યમાનતામાં સંશય છે. પણ એ સંશય પરસ્પર વિરૂદ્ધ અર્થવાળા વેદપદો સાંભળવાથી થયો છે, એ પદો આ છે, “રામર્થ વૈતનું સર્વ यदग्निहोत्रम् तथा सैषा गुहा दुरवगाहा भने द्वे ब्रह्मणी परमपरं च, तत्र परं सत्यं ज्ञानमनन्तरं વરી” આ પદોનો ભાવાર્થ અનુક્રમે તું આ પ્રમાણે ધારે છે, કે જીવનપર્યત અગ્નિહોત્ર કરવો, અગ્નિહોત્રની ક્રિયા પ્રાણિવધના હેતુભૂત હોવાથી શુભાશુભ પ્રકારની છે, અને તે સ્વર્ગનું ફળ આપનાર છે. મોક્ષ ફળ આપનાર નથી. તો પછી જીવનપર્યત એ ક્રિયા કરવી એમ કહે મોક્ષના હેતુભૂત બીજી કોઈ ક્રિયા કરવાનો કાળ જ બતાવ્યો નહિ, એમ મોક્ષ સાધવાના કાળનો અભાવ હોવાથી મોક્ષના સાધનના અભાવે મોક્ષ રૂપ સાધ્યનો પણ અભાવ છે. આમ આ પ્રથમ પદથી મોક્ષનો અભાવ સિદ્ધ થાય છે અને પછી બે પદોથી મોક્ષની વિદ્યમાનતા સિદ્ધ થાય છે, તેનો અર્થ આ પ્રમાણે છે, “મુક્તિરૂપ ગુફામાં સંસારરસિક જીવો દુઃખે પ્રવેશ કરી શકે છે,” તથા બે બ્રહ્મ છે, એક પરબ્રહ્મ, અને બીજું અપર બ્રહ્મ; તેમાં પરબ્રહ્મ તે મોક્ષ, અને અપરબ્રહ્મ તે જ્ઞાન. આ પ્રમાણે આ પદો પરસ્પર વિરૂદ્ધ હોઈને મોક્ષની અસ્તિતા અને નાસ્તિતા સિદ્ધ કરે છે, એમ જાણીને તને તે સંબંધી સંશય થયો છે, પરંતુ એ પદોનો સત્ય અર્થ તું જાણતો નથી. તેનો ખરો અર્થ હું કહું છું તે આ પ્રમાણે છે, તે અર્થને તું લક્ષપૂર્વક સાંભળ. વળી મોક્ષના સંબંધમાં તું એમ માને છે કે જેમ ઓલવાઈ ગયેલો દીપક કોઈ પૃથ્વી પર જતો નથી, આકાશમાં જતો નથી, દિશાઓમાં જતો નથી, કોઈ વિદિશાઓમાં જતો નથી, પણ તેલનો ક્ષય થવાથી કેવળ શાંતિ પામે છે, તેમ નિવૃત્તિ મોક્ષ પામેલો જીવ પણ કોઈ અન્ય પૃથ્વી પર જતો નથી, આકાશમાં જતો નથી, દિશાઓમાં જતો નથી, કે કોઈ વિદિશાઓમાં જતો નથી, પરંતુ કલેશનો ક્ષય થવાથી કેવળ શાંતિ પામે છે. આ પ્રમાણે દીપકના નાશની જેમ જીવનો નાશ બૌદ્ધા માને છે, તે સ્વરૂપ મોક્ષનું હશે ? કે રાગ-દ્વેષ-મદનમોહ-જન્મ-જરા-રોગાદિ સર્વ દુઃખોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન, કેવળદર્શન રૂપ પરમાનંદમય જીવની વિશિષ્ટ વિદ્યમાન અવસ્થા તે મોક્ષ હશે ? એ સિવાય તારા સંશયનું આ બીજું કારણ પણ છે. તું એમ માને છે, કે જેનો અનાદિ સંયોગ હોય, તેનો વિયોગ કદી પણ ન થાય. જેમ આકાશ અને જીવનો અનાદિ સંયોગ હોવાથી તેમનો વિયોગ કદી થતો નથી, તેમ જીવ અને કર્મનો પણ અનાદિ સંયોગ માનેલ હોવાથી તેનો પણ વિયોગ કદી થાય નહિ. કર્મનો વિયોગ ન થવાથી સંસારનો વિયોગ ન થાય, અને એ પ્રમાણે સંસાર વિયોગના અભાવે મોક્ષનો પણ અભાવ સિદ્ધ થાય છે. ૧૯૭૨ થી ૧૯૭૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy