SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮]. નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હોય, ત્યારે પુન્યાત્મક શુભ બંધાય, અને અશુભ યોગ હોય, ત્યારે પાપાત્મક અશુભ બંધાય; પરંતુ પુન્ય-પાપાત્મક મિશ્રકર્મ ન બંધાય. અથવા આ પ્રમાણે સંભાવના કરી શકાય, કે પૂર્વબદ્ધ કર્મને પરિણામવશાતુ શુભ, અશુભ કે મિશ્ર ભાવ પમાડે, એટલે જેમકે પૂર્વે બાંધેલા મિથ્યાત્વના કર્મ પુગલોને વિશુદ્ધ પરિણામે શુદ્ધ કરીને સમ્યકત્વરૂપે કરે, અર્ધશુદ્ધ પરિણામવશાત્ સમ્યક્રમિથ્યાત્વ રૂપ કરે, અને અશુદ્ધ પરિણામથી રસનો ઉત્કર્ષ કરીને સમ્યકત્વના પુદ્ગલો મિથ્યાત્વમાં સંક્રમાવીને મિથ્યાત્વ રૂપે કરે, આ પ્રમાણે પૂર્વબદ્ધ સત્તામાં રહેલા કર્મના ત્રણ પુંજ કરીને શુભ અશુભ ને મિશ્રભાવ કરે, પણ નવાં કર્મ ગ્રહણ કરતી વખતે એ પ્રમાણે પુન્ય-પાપરૂપે મિશ્ર-સંકીર્ણ સ્વભાવવાળું કર્મ ન બાંધે. ઉપર જે સંક્રમ કરવાનું કહ્યું છે, તે સંક્રમ વિધિ આ પ્રમાણે છે. પ્રથમ એટલું સમજવાનું છે કે જ્ઞાનાવરણાદિ મૂળ આઠ પ્રકૃતિનો તો અન્ય અન્યમાં કદી પણ સંક્રમ ન થાય, જ્ઞાનાવરણીયાદિ મૂળ પ્રકૃતિથી અભિન્ન એવી ઉત્તર જે મતિજ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓ છે તેનો પરસ્પર સંક્રમ થાય. એ સજાતીય ઉત્તરપ્રવૃતિઓમાં પણ ચાર આયુષ્યની પ્રકૃતિઓ પોતાની આયુષ્યનામની મૂળ પ્રકૃતિથી અભિન્ન છે, છતાં એનો પરસ્પર સંક્રમ ન થાય તથા દર્શનમોહનીય અને ચારિત્ર-મોહનીય પોતાની મૂળ પ્રકૃતિ જે મોહ તેથી અભિન્ન છતાં પણ તેમનો પરસ્પર સંક્રમ ન થાય. એ સિવાયની શેષ જે ઉત્તર પ્રવૃતિઓ છે, તેના સંક્રમની ભજના છે. એટલે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, કષાય સોળ, મિથ્યાત્વ-ભય-જાગુંસા-તૈજસકાર્મણ-વર્ણચતુષ્ક-અગુરુલઘુ-નિર્માણ અને પાંચ અંતરાય એ ધ્રુવબંધીની સુડતાલીસ ઉત્તર પ્રવૃતિઓનો પોતપોતાની મૂળ પ્રકૃતિમાં અન્યોઅન્ય સંક્રમ સદૈવ થાય છે. જેમકે મૂળ જ્ઞાનાવરણ પ્રકૃતિમાંના મતિજ્ઞાનવરણમાં શ્રુતજ્ઞાનાવરણાદિનો સંક્રમ થાય અને શ્રુતજ્ઞાનાવરણાદિમાં મતિજ્ઞાનાવરણનો સંક્રમ થાય. એ પ્રમાણે સજાતીય પ્રકૃતિનો પરસ્પર સંક્રમ થાય, એમ સર્વત્ર સમજવું. તથા શેષ જે અધુવબંધી પ્રકૃતિઓ રહી તેનો પોતાની મૂળ પ્રકૃતિથી અભિન્ન એવી સજાતીય પ્રકૃતિમાં અબધ્યમાન પ્રકૃતિનો સંક્રમ થાય, પરંતુ અબધ્યમાન પ્રકૃતિમાં બંધાતી પ્રકૃતિનો સંક્રમ ન થાય. જેમકે શાતાવેદની બંધાતી હોય ત્યારે તેમાં નહિ બંધાતી અશાતાવેદનીનો સંક્રમ થાય, પણ એથી વિપરીત નહિ બંધાતી પ્રકૃતિમાં બંધાતી પ્રકૃતિનો સંક્રમ ન થાય. આ પ્રમાણે પ્રકૃતિસંક્રમનો વિધિ છે. શેષ પ્રદેશાદિ સંક્રમનો વિધિ અન્ય ગ્રંથો (કર્મપ્રકૃતિ વિગેરેથી) જાણી લેવો. ૧૯૩૬ થી ૧૯૩૯. પુન્ય-પાપનું લક્ષણ અને તે ગ્રહણ કરવાની રીત કહે છે - सोहणवण्णाइगुणं सुभाणुभावं च जं तयं पुण्णं । विवरीयमओ पावं न बायरं नाइसुहुमं च ॥१९४०॥ गेण्हइ तज्जोगं चिय रेणुं पुरिसो जहा कयब्भंगो । एगक्रोत्तोगाढं जीवो सबप्पएसेहिं ।।१९४१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy