SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] નવમા ગણધરનો વાદ. [૧૪૧ જેમ શરીરને કરનાર આકાશ નથી, અમૂર્ત છે માટે. તેમજ સ્વભાવ પણ અમૂર્ત છે માટે કર્તા ન થઈ શકે, કાર્યાદિપણાથકી તેની મૂર્તિમત્તા વળી યોગ્ય છે. હવે સ્વભાવ તે નિષ્કારણતા છે, એમ કહેવામાં આવે, તો ગધેડાનાં શીંગડાં નિષ્કારણ જ છે, માટે તે પણ હોવાં જોઈએ. સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે, એમ કહેવામાં આવે, તો ગધેડાંના શીંગડાં નિષ્કારણ જ છે, માટે તે પણ હોવાં જોઈએ. સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે, એમ કહેવામાં આવે, તો તે યોગ્ય છે, કેમકે તે જીવ અને કર્મનો પરિણામ થાય છે. અને તે પુન્ય-પાપના નામે કારણ તથા કાર્યથી અનુમેય છે. ક્રિયાઓરૂપ કારણથી અને દેહાદિ રૂપ કાર્યથી કર્મ છે, એવું મારું કથન અગ્નિભૂતિની જેમ તું પણ અંગીકાર કર. વળી એ જ કર્મ શરીરાદિ અને ક્રિયાઓનાં શુભાશુભ રૂપે હેતુ છે. માટે સ્વભાવથી જ ભિન્ન જાતિવાળા તે પુણ્ય-પાપ છે-એમ અંગીકાર કર. ૧૯૧૨ થી ૧૯૨૦. કેટલાકના મતે પુચ-પાપ બન્ને જુદા જુદા સ્વતંત્ર છે. કારણ કે તેના કાર્યભૂત સુખ દુઃખ એકી સાથે અનુભવાતા નથી, એ પ્રમાણે બન્નેનાં કાર્યો જુદાં જુદાં જણાય છે માટે તેના કારણભૂત પુન્ય-પાપ પણ જુદાં જુદાં છે, એમ અનુમાનથી સિદ્ધ થાય છે. કેટલાક લોકો પુચ-પાપ વિના સ્વભાવથી જ આ સંસારની વિચિત્રતા માને છે. આ પ્રમાણે પુન્ય-પાપ સંબંધી પાંચ પ્રકારના જુદા જુદા અભિપ્રાયોથી તને સંશય થયો છે, પણ તે યોગ્ય નથી. કારણ કે એ પાંચ અભિપ્રાયમાંનો ચોથો અભિપ્રાય જ ગ્રહણ કરવા યોગ્ય છે, તે સિવાયના ચાર અભિપ્રાયો અયોગ્ય હોવાથી ત્યાજ્ય છે. પ્રત્યાત્તિ (નિકટતા) ન્યાયને અંગીકાર કરીને કહીએ છીએ કે તેમાં જો સ્વભાવથી જ આ સંસારની વિચિત્રતા થતી હોય, તો એ સ્વભાવ તે શું કોઈ વસ્તુ છે ? નિષ્કારણતા છે? કે વસ્તુનો ધર્મ છે ? આ ત્રણ વિકલ્પોમાંથી પહેલો વિકલ્પ અંગીકાર કરીને સ્વભાવ એ કોઈ વસ્તુ છે, એમ કહેવામાં આવે, તો તે આકાશપુષ્પની જેમ કોઈ સ્થળે ઉપલબ્ધ નથી, માટે તેનો અભાવ છે. આ પછીની ૧૯૧૭ થી ૨૦ ગાથાઓનું વિવેચન પૂર્વે અગ્નિભૂતિ ગણધરના વાદમાં થઈ ગયું છે, એટલે પુનઃ અહીં લખવાની જરૂર નથી. જે કંઈ તેથી વિશેષ છે, તે એટલું જ કે આ પુન્ય તથા પાપ નામનો જીવ અને કર્મનો જે પરિણામ છે, તે કારણથી અને કાર્યથી જાણી શકાય છે. જેમ ખેતી વિગેરે ક્રિયાઓનું ફળ ડાંગર-જવ-ઘઉં વિગેરે છે, તેમ દાનાદિ ક્રિયાઓ અને હિંસાદિ ક્રિયાઓ પણ કારણરૂપ હોવાથી તેનાં જે ફળ-કાર્યભૂત પુન્ય-પાપાત્મક તે જીવ તથા કર્મનો પરિણામ છે. આ કારણાનુમાનથી ગમ્ય થયું અને કાર્યાનુમાનથી ગમ્ય આ પ્રમાણે છે - જેમ માટી-દંડચક્ર-ચીવરાદિ સામગ્રીયુક્ત કુંભાર ઘટનું કારણ છે, તેમ આ શરીરાદિ પણ કાર્ય હોવાથી તેનું પણ કોઈક કારણ છે. એમાં જે કારણ છે, તે શુભાશુભ કર્માત્મક પુન્ય-પાપ છે. શરીરની ઉત્પત્તિમાં માતા-પિતાદિ દષ્ટહેતુ છે, પણ ઉપરોક્ત કર્મરૂપ અદષ્ટહેતુ નથી, એમ કહેવામાં આવે તો તે અનુચિત છે. કારણ કે દષ્ટહેતુ સમાન છતાં પણ સુરૂપ કુરૂપાદિ ભાવે શરીરની જે વિચિત્રતા જણાય છે, તે અદષ્ટ હેતુ કર્મ સિવાય ન જ બની શકે. માટે પુન્ય અને પાપ એવા બે ભેદ કર્મના છે, તેમાં શુભ શરીર વિગેરે પુન્યનું કાર્ય છે અને જે અશુભ શરીરાદિ તે પાપનું કાર્ય છે. ૧૯૧૪ થી ૧૯૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy