SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નવમા ગણધરનો વાદ. [૧૩૯ વર્ણાદિની જેમ પુન્ય-પાપ સંમીલિત એક જ વસ્તુ છે, તેના કોઈપણ એક અંશના ઉત્કર્ષાપકર્ષથી તેનું જ પુન્ય અને પાપ એવું નામ કહેવાય છે. ૧૯૦૯-૧૯૧૦-૧૯૧૧. પુન્ય જ છે, પાપ નથી, એ પ્રમાણે એકાંત માનનારાઓ એવું પ્રતિપાદન કરે છે, કે પુન્યનો ક્રમશઃ ઉત્કર્ષ થવાથી ઉચ્ચતા પ્રાપ્ત થાય છે, અને તેથી અનુક્રમે સુખની પણ વૃદ્ધિ થાય છે, એટલે છેવટે સ્વર્ગ સુખ પ્રાપ્ત થાય છે. તથા એ જ પુન્યની અનુક્રમે હાનિ થતાં, સુખની પણ હાનિ થાય છે, અને છેવટે નરકનું દુઃખ પ્રાપ્ત થાય છે. મતલબ કે જેમ જેમ પુન્યની હાનિ થાય છે, તેમ તેમ અનુક્રમે જીવોને દુઃખ થાય છે, અને વધારેમાં વધારે નરકનું દુઃખ પ્રાપ્ત થાય છે, સર્વથા તે પુન્યનો નાશ થવાથી જીવને મોક્ષ મળે છે. આ બાબત સ્પષ્ટ સમજવા એક ઉદાહરણ લઈએ. જેમ પથ્ય આહારની વૃદ્ધિથી આરોગ્યની વૃદ્ધિ થાય છે, તેમ પુન્યની વૃદ્ધિ થતાં સુખની પણ વૃદ્ધિ થાય છે. વળી જેમ પથ્ય આહારનો અનુક્રમે ત્યાગ કરવાથી પુનઃ રોગ પ્રાપ્ત થાય છે, તેમ પુન્યનો અપચય થવાથી દુઃખ પ્રાપ્ત થાય છે, અને સર્વથા પથ્ય આહારનો ત્યાગ કરવાથી જેમ મરણ પ્રાપ્ત થાય છે, તેમ સર્વથા પુન્યનો ક્ષય થવાથી મોક્ષ મળે છે. પુન્યનો અભાવ માનીને એકાંત પાપને જ માનનારાઓ પણ એ જ પ્રમાણે કહે છે. પરંતુ તેથી વિપરીત ભાવના કહે છે. જેમ અપથ્ય આહારની વૃદ્ધિથી રોગની વૃદ્ધિ થાય છે, તેમ પાપની વૃદ્ધિથી દુઃખવૃદ્ધિરૂપ અધમતા પ્રાપ્ત થાય છે, એટલે અનુક્રમે છેવટે નરકનું દુઃખ પ્રાપ્ત થાય છે, તથા અપથ્ય આહારનો ત્યાગ કરવાથી જેમ અનુક્રમે આરોગ્યવૃદ્ધિ થાય છે, તેમ પાપનો અપકર્ષ થવાથી અનુક્રમે સુખની વૃદ્ધિ થાય છે, અને છેવટે સ્વર્ગ સુખ પ્રાપ્ત થાય છે. વળી અપથ્ય આહારનો સર્વથા ત્યાગ કરવાથી જેમ પરમ આરોગ્ય મળે છે, તેમ પાપનો સર્વથા ક્ષય થવાથી મોક્ષ મળે છે. પુચ-પાપ ઉભય સંકીર્ણ એક જ વસ્તુ છે, પણ જુદી જુદી નથી. આમ માનનારાઓ પોતાનો પક્ષ પ્રતિપાદન કરવા એવું કહે છે કે - જેમ હરતાલ અથવા ગળી વગેરે વર્ણોમાંથી કોઈ પણ બે વર્ણથી મિશ્ર જેમ એક જ વસ્તુ છે, અથવા મેચકમણિમાં અનેક વર્ણ છતાં જેમ એક જ વસ્તુ છે, અથવા “નરસિંહ”માં જુદી જુદી આકૃતિ છતાં તે એક જ વ્યક્તિ છે, તેવી જ રીતે આ પુન્ય-પાપ પણ ઉભય મિશ્ર એક જ વસ્તુ છે. અહીં કોઈ એમ પૂછે કે જો એ એક જ વસ્તુ હોય, તો તેના પરસ્પર વિરોધી પુન્ય અને પાપ એવાં બે નામ કેવી રીતે કહી શકાય ? આ પ્રશ્નના ઉત્તરમાં તેઓ એમ કહે છે, કે એ પુન્ય-પાપથી મિશ્ર એક વસ્તુમાંના પુન્યાંશ વડે તેની વૃદ્ધિ થવાથી તેનું નામ પુણ્ય કહેવાય છે. વળી પુન્યાંશની હાનિ થવાથી પાપ કહેવાય છે, તેમજ પાપાંશની વૃદ્ધિ થવાથી પાપ કહેવાય છે, તેની હાનિ થવાથી પુન્ય કહેવાય છે, આ પ્રમાણે હોવાથી પુન્ય-પાપ કંઈ જુદી જુદી વસ્તુ નથી પણ ઉભયમિશ્ર એક જ વસ્તુ છે. ૧૯૦૯-૧૯૧૦-૧૯૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy