SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] છઠ્ઠા ગણધરનો વાદ. [૧૧૫ જે અનાદિ સંતાન હોય, તે અનંત જ હોય, એમ એકાન્તે ન કહી શકાય, કારણ કે બીજ અને અંકુરનો અનાદિ સંતાન છતાં પણ તેનો અંત જણાય છે. વળી જેમ બીજ અને અંકુરમાંથી કોઈ પણ એક વસ્તુ કાર્યને ઉત્પન્ન કર્યા સિવાય નાશ પામે, તો તેમાં તેનો સંતાન-પરંપરા પણ નાશ પામે છે. એ જ પ્રમાણે કુકડી અને ઈંડામાં તથા પિતા અને પુત્રમાં પણ સમજવું. અથવા જેમ સુવર્ણ અને ઉપલ (પત્થર)નો અનાદિ કાળથી ચાલ્યો આવેલો સંયોગ અગ્નિ આદિના તાપથી દૂર કરાય છે, તેમ જીવ અને કર્મનો સંયોગ દૂર કરાય છે, તેથી મોક્ષ થાય છે. ૧૮૧૭ થી ૧૮૧૯. સુવર્ણ અને માટીના જીવો નવા નવા થાય છે છતાં તે પુદ્ગલો તો અનાદિના પ્રવાહવાળા છે. અથવા મેરુ સરખા સ્થાનની અપેક્ષાએ આ અનાદિ સંયોગ લેવામાં હરકત નહિ. તેના કોઈક ભાગમાંથી તેવા કોઈ સંયોગે સોનું કાઢવામાં આવે ત્યારે અનાદિ સંયોગનો પણ વિભાગ થાય. જગત્ ઈશ્વરે કરેલું છે એમ નહીં માનનારાઓ માટે જ આ દૃષ્ટાંત છે. જેઓ ઈશ્વરે કરેલું જગત છે એમ માને છે, તેઓને માટે પ્રાગભાવ લેવો અથવા અતીત સમયોની પરંપરા દૃષ્ટાંત તરીકે લેવી. કેમકે તેની આદિ નથી અને અંત છે, કારણ કે અતીતકાલ અને પ્રાગભાવ પણ અનાદિ સાંત છે. ૧૮૧૭ થી ૧૮૧૯. જીવ-કર્મનો સંબંધ અનાદિ અનંત અને અનાદિ સાન્ત છે. એમ જણાવતા કહે છે. तो किं जीव-नहाण व अह जोगो कंचणो-वलाणं व ? | जीवरस य कम्मरस य भण्णइ दुविहोऽवि न विरुद्धो ॥ १८२० || पढमोऽभव्वाणं भव्वाणं कंचणो-वल्लाणं व । जीवत्ते सामण्णे भव्वोऽभव्वोत्ति को भेओ ? ।।१८२१ ।। Jain Education International होउ व जड़ कम्मकओ न विरोहो नारगाइभेउ व्व । મળદ ય મળ્યા-ડમના સમાવશે તેન સંવેદો ૮૨૨ જીવ અને કર્મનો પરસ્પર સંબંધ, જીવ અને આકાશની જેમ અનાદિ અનંત છે ? કે સુવર્ણ અને પત્થરની જેમ અનાદિ સાંત છે ? (એના ઉત્તરમાં) કહીએ છીએ કે બન્ને પ્રકારનો સંબંધ અવિરૂદ્ધ છે. પહેલો જીવ ને આકાશના જેવો અનાદિ અનંત સંબંધ અભવ્યોને છે તથા બીજો સુવર્ણ અને પત્થરની જેમ અનાદિ સાંત સંબંધ ભવ્ય જીવોને છે. જીવત્વ સર્વમાં સમાન છતાં ભવ્ય અને અભવ્યમાં શાથી તફાવત છે ? (જીવત્વ સમાન છતાં પણ નારક તિર્યંચાદિરૂપ તફાવત જેવી રીતે છે, તેવી રીતે ભવ્ય-અને અભવ્યપણારૂપ તફાવત પણ છે, આ પ્રમાણે પણ નહીં કહી શકાય કારણ કે નારકાદિપણાનો તફાવત કર્મજનિત છે, સ્વાભાવિક નથી; તેવી રીતે) ભવ્યાભવ્યત્વનો તફાવત પણ નારકાદિ જેમ કર્મજન્ય હોય, તો કંઇ વિરોધ નથી, પણ એ ભવ્યાભવ્યત્વનો તફાવત તમે તો સ્વાભાવિક કહો છો, તેથી સંદેહ થાય છે. ૧૮૨૦ થી ૧૮૨૨. હવે ભવ્યાભવ્યત્વના તફાવતનું કારણ કહે છે : बाइते तुल्ले जीव-नहाणं सभावओ भेओ । નીવા-ડનીવાળો નઇ તહ મને-ચર્સવસેસને ૧૮૨રૂ। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy