SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. નામ, સ્થાપના, દ્રવ્યમાં તાત્વિકતા [૩૫ સમાન છે. છતાં તેઓમાં મીઠાશ વિગેરેનાં કારણે તફાવત છે જ, તેમ અહીં પણ સમજવું. કેમકે વસ્તુમાત્ર અનન્તધર્માત્મક છે. પ૩-૫૪. અહીં ફરી શિષ્ય શંકા કરે છે કે – इह भावोच्चिय वत्थु, तयत्थसुन्नेहिं किं व सेसेहिं ? । नामादओ वि भावा, जं ते वि हु वत्थुपज्जाया ॥५५॥ અહીં ભાવ એજ તાત્ત્વિક વસ્તુ જણાય છે; તત્ત્વસિવાયના નામાદિવડે શું ? (ઉત્તર) નામાદિ પણ તત્ત્વરૂપજ છે, કારણ કે તે પણ વસ્તુના પર્યાય (ધર્મો) છે. પપ. પ્રશ્ન :- આ નામ આદિ ચારમાં ભાવજ વસ્તુ જણાય છે. કેમકે તેજ પ્રયોજનની સિદ્ધિ કરનાર છે. ઉદાહરણ તરીકે-જેવી રીતે ભાવ ઈન્દ્ર દાનવોને દમવારૂપ કાર્ય સાધવામાં સમર્થ છે, તેવી રીતે નામ ઇન્દ્રાદિ સમર્થ નથી, માટે નામ-સ્થાપનાદિનું શું પ્રયોજન છે. ? ઉત્તર :- સામાન્યથી ભાવને વસ્તુપણે માનવામાં કંઈ દોષ નથી. નામ સ્થાપના અને દ્રવ્ય એ પણ વસ્તુના પર્યાયો-ધર્મો હોવાથી ભાવની અવસ્થાઓજ છે. કારણ કે પર્યાય ધર્મ ભેદ ભાવ. એ બધા શબ્દો સમાન અર્થવાળાજ છે, જેમકે કોઇએ સામાન્યથી “ઇન્દ્ર” એમ કહ્યું તેથી તેના સાંભળનારને નામાદિ ચારેની પ્રતીતિ થાય છે. ને તેથી જ શંકા થાય છે કે આ મનુષ્ય નામઇન્દ્ર કહ્યો, સ્થાપના ઇન્દ્ર કહ્યો, દ્રવ્ય ઇન્દ્ર કહ્યો, કે ભાવઈન્દ્ર કહ્યો ? આથી ઇન્દ્રરૂપ વસ્તુના જે નામાદિ ચારે છે તે ખુદ વસ્તુના પર્યાયો ભાવવિશેષો છે, ને તેથીજ વિશિષ્ટ અર્થ ક્રિયા સાધક ભાવઇન્દ્રાદિકરૂપ ભાવને આશ્રિને વસ્તુપણું સાધીએ તો કંઈ હાની નથી, કેમકે ભાવઇન્દ્રાદિ ભાવની અર્થક્રિયામાં નામાદિ પર્યાયો પણ છે જ, અને પર્યાયો દ્રવ્યમાં પરસ્પર અભેદથી રહે છે. પપ. અથવા નામાદિ પણ ભાવ મંગળના કારણ હોવાથી ભાવમંગળજ છે, એમ જણાવવાને કહે છે કે अहवा नाम ठवणा-दव्वाइं भावमगलंगाइं । पाएण भावमंगलपरिणामनिमित्तभावाओ ॥५६॥ जहमगलाभिहाणं, सिद्धं विजयं जिणिंदनामं च । सोऊण पेच्छिऊण य, जिणपडिमालक्खणाईणि ॥५७॥ परिनियमणिदेहं, भब्वजइजणं सुवन्नमल्लाई। दतॄण भावमङ्गलपरिणामो होइ पाएण ॥५॥ અથવા નામ-સ્થાપના-ને દ્રવ્ય એ ત્રણે ભાવમંગળરૂપ પરિણામના પ્રાયઃ નિમિત્ત હોવાથી, ભાવમંગળના કારણો છે. જેમ કે - સિદ્ધ, વિજય, અને જિનેશ્વરનું મંગળકારિ એવું નામ સાંભળીને તથા જિનપ્રતિમા-સ્વસ્તિકાદિ જોઈને, તેમજ મુક્તિ પામેલ મુનિનો દેહ, તેવી જ રીતે ભવિષ્યમાં સાધુ થનારા મનુષ્યના અને સુવર્ણમાળા વિગેરેના દર્શન કરીને પ્રાયઃ ભાવમંગળના પરિણામ થાય છે. પ૬-૫૭-૫૮. નામ-સ્થાપનાને દ્રવ્ય એ ત્રણે ભાવમંગળના (ભાવમંગળોપયોગના) કારણો છે, તેથી જે જેનું કારણ હોય તે તેનો વ્યપદેશ પામે છે, જેમ કે ઘી આયુષ્યનું અને રૂપીઓ ભોજનનું કારણ હોવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy