SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] દ્રવ્ય મંગળનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જ્ઞાન સમજવું. મંગળશબ્દથી અનુવાસિત અને મંગળશબ્દના અર્થની પ્રરૂપણા કરતી વખતે, તે જ્ઞાનની લબ્ધિવાળો છતાં શૂન્યપણે મંગળ શબ્દાર્થની પ્રરૂપણા કરનાર વક્તા તે મંગળના ઉપયોગથી શૂન્ય હોય તેથી તે આગમથી દ્રવ્યમંગળ ગણાય. પ્રશ્ન :- તેના અર્થજ્ઞાનની લબ્ધિવાળો છતાં તે દ્રવ્યમંગળ કેમ કહેવાય ? ઉત્તર ઃ- ‘“ગનુપયોગો બં” એટલે ઉપયોગ રહિતપણું તે દ્રવ્ય એમ સિદ્ધાંતમાં કહેલ છે. માટે તેવો વક્તા આગમથી દ્રવ્યમંગળ કહેવાય. ૨૯. હવે અનુપયુક્ત જ્ઞાનવાળા વક્તાને આગમથી દ્રવ્યમંગલ કહ્યો તેમાં પ્રશ્ન અને ઉત્તર - जइ नाणमागमो तो, कह दव्वं ? दव्वमागमो कह णु ? | आगमकारणमाया, देहो सद्दो य तो दव्वं ॥ ३०॥ જો જ્ઞાન એ આગમ છે તો દ્રવ્ય કેમ ? અને દ્રવ્ય છે તો આગમ કેવી રીતે ? એવી શંકાનો ઉત્તર એ છે કે આત્મા-દેહને જીવ શબ્દ એ આગમનું કારણ છે તેથી તે દ્રવ્ય છે. ૩૦. પ્રશ્ન :- મંગળશબ્દના અર્થનું જ્ઞાન એ આગમ છે, તો તે જ્ઞાનવાનૢ વક્તા દ્રવ્યમંગળ રૂપ કેમ કહેવાય ? કારણ કે આગમ તે તો જ્ઞાન હોવાથી ભાવમંગળરૂપ છે, તેને દ્રવ્યમંગળરૂપ કેમ કહેવાય ? અને જો તે દ્રવ્ય મંગળ છે તો તેને આગમ કેમ કહેવાય ? આ ઉપરથી જ્ઞાનવાળાને “આગમથી દ્રવ્ય મં” છે એમ કહેવું એ અત્યંત અયોગ્ય છે. ઉત્તર :- અહીં સાક્ષાત્ આગમ ન સમજવું, પરંતુ તે જ્ઞાનલક્ષણ આગમના કારણભૂત ઉપયોગ રહિત વક્તાના આત્મા-દેહ અને શબ્દને આગમ તરીકે સમજવાં, કેમ કે એ આત્મા દેહ, શબ્દ આદિ સર્વ આગમના આધારભૂત છે, તે ન હોય તો આગમનો જ અભાવ થાય, માટે તે આગમનાં કારણ છે, અને કારણ હોવાથી “કારણ તે દ્રવ્ય” એ ન્યાયાનુસાર જે ઉપયોગ રહિત જ્ઞાનવાનનાં આત્માદિ, તે દ્રવ્ય કહેવાય. કારણમાં કાર્યનો ઉપચાર કરીને કાર્ય તરીકે કહેવાય છે જેમ વરસાદ રૂપ કારણમાં તંદુલરૂપ કાર્યનો ઉપચાર કરીને “મેધ ડાંગર વર્ષે છે” એમ કહેવાય છે તેમ અહિં પણ આત્મા-દેહ શબ્દ વિગેરે આગમનાં કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને આગમથી દ્રવ્યમંગળ કહેલ છે. જિનેશ્વર મહારાજના શાસનમાં કોઈ પણ સૂત્ર અથવા અર્થ નય વિનાનાં નથી, પણ નયોને સમજનાર શ્રોતા હોય અને નયમાં નિપુણ એવો વક્તા હોય તો તેઓને કહે, આવું શાસ્ત્રકારનું વચન હોવાથી જિનશાસનમાં સર્વે પણ પદાર્થો નયોથી વિચારવા યોગ્ય છે માટે દ્રવ્યમંગળનો પણ નયોથી વિચાર કહે છે તેમાં નૈગમ, વ્યવહારથી દ્રવ્યમંગળ જણાવે છે. एगो मंगलमेगं, णेगा णेगाइं णेगमनयस्स । संगहनयरस एक्कं सव्वं चिय मंगलं लोए ॥ ३१ ॥ નૈગમનયની અપેક્ષાએ જ્ઞાનવાળો ઉપયોગ રહિત, મંગળશબ્દાર્થનો એક વક્તા તે એક દ્રવ્યમંગળ; અને એવા અનેક ઉપયોગ રહિત મંગળશબ્દાર્થના વક્તાઓ, તે અનેક દ્રવ્યમંગળ, તેમજ સંગ્રહ નયની અપેક્ષાએ સર્વ લોકમાં કેવળ એક જ દ્રવ્યમંગળ છે. ૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy