SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંત૨] મંગળ શા માટે ? [ ૧૭ તેને મંગળ કરવા તત્પર થયા છો એમ જણાય છે. એમ ન હોય તો મંગળ કરવું ઘટે નહિ. અથવા જો એમ કહેતા હો કે “શાસ્ત્ર તો મંગળ છે છતાં મંગળ બતાવવા અન્ય મંગળ કરીએ છીએ.” તો અનવસ્થા દોષ આવશે. એટલે કે ગમે તેટલા મંગળનો છેડો જ નહિ આવે. કેમ કે જેવી રીતે શાસ્ત્ર મંગળ રૂપ છતાં એને અન્ય મંગળ કરાય છે, તેવી જ રીતે તે મંગળને પણ અન્ય ત્રીજું મંગળ કરવું જોઈશ, એ ત્રીજા મંગળને ચોથું મંગળ જોઈશે. એવી રીતે પુનઃ પુનઃ મંગળ કરવાથી અનવસ્થા આવશે. આ અનવસ્થાના ભયથી. શાસ્ત્ર મંગળ છતાં તેમાં જે જુદું મંગળ ગ્રહણ કર્યું છે, તે જુદા મંગળને મંગળ કરવા માટે, અન્ય મંગળની જરૂર નથી, એમ માનીશું એટલે અનવસ્થા દોષ નહિ આવે.” એમ કહેશો તો પણ તેમાં દોષ આવ્યા વિના નહિ રહે. કેમકે મંગલ એવા શાસ્ત્રને મંગલ કરવા મંગલ કર્યું તો ગ્રહણ કરેલા મંગળને માટે પણ અન્ય મંગલ કરવું જોઈએ અને તે તો અનવસ્થાના ભયથી અન્ય મંગળ કરતા નથી તેથી મંગળ પણ શાસ્ત્રની પેઠે અન્ય મંગળના અભાવે મંગળ નહિ થાય. અર્થાત્ જો મંગળને બીજું મંગળ નહિ કરવાથી અનવસ્થા નહિ થાય એમ માનશો, તો તો જેમ શાસ્ત્ર મંગળ છતાં પણ અન્યમંગળ નહિ કરવાથી મંગળ રૂપ નથી થતું, તેવી જ રીતે આ મંગળ પણ બીજું મંગળ કર્યા સિવાય મંગળ રૂપ નહિ થાય, કેમકે ઉભય સ્થળે ન્યાયની સમાન ગતિ છે. આ પ્રમાણે હોવાથી પરિણામ એ આવ્યું, કે શાસ્ત્રમાં જે મંગળ ગ્રહણ કર્યું છે, તે અન્યમંગળ રહિત હોવાથી અમંગળ છે, અને તે અમંગળ હોવાથી શાસ્ત્ર પણ મંગળ રહિત જ થયું અથવા તો અનવસ્થા દોષવાળું થયું. શાસ્ત્રકાર મહારાજા ઉત્તર આપે છે કે - सत्थऽत्थन्तरभूयम्मि, मंगले होज्ज कप्पणा एसा । सत्थम्मि मंगले किं, अमंगलं काऽणवत्था वा ? ॥१६॥ જો શાસ્ત્રથી મંગળ ભિન્ન હોય તો ઉપર જણાવેલ આ કલ્પના ઘટે. પરંતુ શાસ્ત્ર જ મંગળરૂપ હોય, તો પછી તે શાસ્ત્રનું અમંગળપણું શું ? અને અનવસ્થા દોષ પણ કયો ? ૧૬. - ઉપરોક્ત દોષ કહેવાવાળા વાદીને શાસ્ત્રકાર મહારાજા પ્રત્યુત્તર આપે છે કે ભાઈ ! જો આવશ્યક દિશાસ્ત્રથી મંગળ ભિન્ન માનીએ, તો પૂર્વે કહેલા દોષોની કલ્પના સત્ય ઠરે, પરંતુ આવશ્યકાદિ શાસ્ત્રને જ પરમ મંગળ રૂપ માનીએ અને મંગળ તેનાથી ભિન્ન ન માનીએ, તો અમંગળતા અને અનવસ્થા દોષ કયાંથી આવે ? ન જ આવે. પ્રશ્ન :- જો શાસ્ત્ર સ્વયં મંગળરૂપ છે તો શાસ્ત્રોની આદિ, મધ્ય અને અંતમાં મંગળ કરવું એમ શા માટે કહ્યું છે ? ઉત્તર :- શિષ્યની બુદ્ધિમાં એમ થાય કે મંગળ કર્યું છે. એટલા માટે જ ત્યાં આદિ મધ્યને અંત્યમાં મંગળ કરવું એમ કહ્યું છે. એ સંબંધી વિસ્તારથી હમણાં જ આગળ કહેવાશે. . આચાર્યશ્રી સમર્થવાદી હોવાથી વાદીએ પૂર્વે કહેલ દોષો શાસ્ત્રથી મંગળ ભિન્ન માનીએ તો પણ લાગતા નથી એમ સાબીત કરવાને માટે કહે છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy