SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] વચન અનનુયોગનું ઉદાહરણ. [૫૦૫ છોડ્યો, અને કહ્યું કે જ્યારે આવું જોવામાં આવે ત્યારે “તમોને - આવું કદી પણ ન થાઓ, આવા બનાવનો હંમેશાં વિયોગ થાઓ.” એમ કહેવું, તેઓની તે શિક્ષા માન્ય કરીને તે આગળ વધ્યો. એક જગ્યાએ વિવાહનો સમારંભ જોયો, તે જોઈને તેણે પૂર્વે કહ્યા મુજબ આવું કદિ પણ ન થાઓ વિગેરે કહ્યું, એટલે ત્યાં પણ તેને ઘણો જ માર પડ્યો, અને સત્ય વાત કહી ત્યારે મુક્ત કર્યો, અને કહ્યું કે જયાં આવું જાએ ત્યાં એમ કહેવું કે “તમે હંમેશાં આવું જુઓ આ સંબંધ શાશ્વતો થાઓ. કદિપણ વિયોગ ન થાઓ.” આ પ્રમાણે કહેવું. તેમની તે શીખામણ અંગીકાર કરીને તે આગળ ચાલ્યો. કોઈ અધિકારીને સાંકળોથી બાંધેલો જોઈને પૂર્વે કહ્યા મુજબ બોલ્યો. એટલે ત્યાં પણ લોકોએ તેને ખૂબ માર માર્યો, પછી સત્ય બીના જાણી ત્યારે છૂટો કર્યો, અને શીખવ્યું કે જયાં આવું જોવામાં આવે ત્યાં આથી શીઘવિયોગ થાઓ. કદિપણ આવું ન થાઓ. એમ કહેવું. તેમની તે શીખામણ અંગીકર કરીને આગળ ચાલ્યો. ત્યાં આગળ કોઈ રાજાઓની સંધી સંબંધી વાતચીત થતી હતી, તે સાંભળીને તેણે કહ્યું કે – “આવું કદી પણ ન થાઓ, શીઘ્રતાથી વિયોગ થાઓ.” આ સાંભળીને લોકોએ તેને ત્યાં પકડીને ખૂબ માર માર્યો, સત્ય વાત જાણ્યા પછી છોડ્યો. આ પ્રમાણે એ મૂર્ખ ગામડીઓ દરેક સ્થળે માર ખાતો ખાતો કોઈ વૈભવ વિનાના નિધન ઠાકોરને ઘેર નોકર તરીકે રહ્યો. ત્યાં ઠાકોર નિધન હોવાથી અને દુષ્કાળનો પ્રસંગ હોવાથી ઠાકોરની સ્ત્રીએ ઘેર ઘેંશ તૈયાર કરી અને પેલા મૂર્ખ નોકરને કહ્યું કે “જા ગામની સભામાં બેઠેલા ઠાકોરને કહે કે – ઘેંશ તૈયાર થઈ ગઈ છે, માટે હમણાં ચાલો, નહિ તો પછી ઠરી જશે... મૂર્ખ નોકરે સભામાં જઈને બધા લોક સાંભળે તેમ મોટેથી કહ્યું કે, “ઠાકોર સાહેબ ! જલ્દી ઘેર ચાલો અને પેંશ જમી લ્યો, નહી તો પછી ઠરી જશે.” તેનું તેવું કથન સાંભળીને ઠાકોર બિચારો લજ્જા પામીને ઘેર આવ્યો, અને ખૂબ ઠપકો આપી કહ્યું કે “અરે મૂર્ખ ! ઘણા માણસોની વચ્ચે એમ બોલાતું હશે ? ત્યાં તો જયારે આવું ઘરનું કાર્ય હોય, ત્યારે પાસે આવીને મુખે વસ્ત્ર રાખીને ધીમે ધીમે કાન પાસે કહેવું જોઈએ.’ ઠાકોરની શીખામણ તેણે માન્ય કરી. એમ કરતાં કેટલાક દિવસો વિત્યા પછી ઠાકોરને ઘેર આગ લાગી, એટલે ઠાકોરને બોલાવવા માટે સભામાં ગયો. ત્યાં જઈને ધીમે ધીમે આગળ આવી, મુખે વસ્ત્ર રાખીને ઠાકોરના કાનમાં કહ્યું કે “ઘેર આગ લાગી છે.” આ સાંભળી ઠાકોર એકદમ ઉઠ્યા અને ઘર તરફ દોડ્યા, પણ એટલામાં તો માલમિલકત સાથે સર્વ ઘર બળીને ભસ્મ થઈ ગયું. આથી ખૂબ ગુસ્સે થયેલા ઠાકોરે તે મૂર્ખ નોકરને ખૂબ માર મારીને કહ્યું, “અરે મૂર્ખ ! જયારે આ પ્રમાણે હતું, ત્યારે પ્રથમ ધુમાડો નીકળતાં જ તે પાણી-ધૂળ-ભસ્મ વિગેરે કેમ કંઈ ના નાખ્યું, અને મોટો અવાજ કરીને બીજા લોકોને પણ ખબર કેમ ન કહી ?' મૂર્ખ ગામડીઆએ કહ્યું “સાહેબ ! જો હવે ફરી એમ થશે તો એ પ્રમાણે કરીશ, મારો ગુનો માફ કરો.' ઠાકોરે તે દિવસે તેને જતો કર્યો. કેટલાક દિવસો ગયા પછી એક દિવસ ઠાકોર સ્નાન કરીને સુગંધી ધુપ લેવા બેઠા તે વખતે ઢાંકેલા પાટલા ઉપરથી અગરૂચંદનના ધુમની શીખા નીકળી, તે જોઈને પેલા મૂર્ખ ગામડીઆએ, ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy