SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦] નિક્ષેપ અર્થ શબ્દસૂત્ર વિચારનાં સ્થાનો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પુનઃ શિષ્ય શંકા કરે છે. इह पुण कीस न भण्णइ, जं निक्लेवो इमो स निज्जुत्ती । निज्जुत्ती वक्खाणं, निक्रोवो नासमेत्तं तु ॥९६५॥ અહીં સામાયિકની વ્યાખ્યા કેમ નથી કરતા? ઉત્તર-અહીં નિક્ષેપ જ પ્રસ્તુત છે અને વ્યાખ્યાન તે નિયુક્તિરૂપ છે, તેથી તે વ્યાખ્યાન-નિર્યુક્તિ વ્યાખ્યાનત્મક છે અને નિક્ષેપ તો ન્યાસ માત્ર છે. ૯૬૫. પ્રશ્ન :- અહીં નિક્ષેપારમાં સામાયિકનું વ્યાખ્યાન કેમ નથી કરતા? અને આગળ નિરૂક્તિમાં જ કેમ કરશો ? ઉત્તર :- અહીં નિક્ષેપજ પ્રસ્તુત હોવાથી તેજ કહેવો ઉચિત છે, અહીં વ્યાખ્યાન કેમ કહી શકાય ? એતો નિરૂક્તિમાંજ કહેવાય. કારણ કે નિર્યુક્તિ તે અનુગામનો ભેદ હોવાથી વ્યાખ્યાનાત્મક હોય છે, તેથી આ સૂત્રનું વ્યાખ્યાન ત્યાં જ કહેવું યોગ્ય છે, અને નામાદિ નિક્ષેપ તો કેવળ ન્યાસમાત્ર છે, વ્યાખ્યાનરૂપ નથી, વ્યાખ્યાનરૂપ તો અનુગમ જ છે, માટે અહીં સામાયિકનું વ્યાખ્યાન કરવું યોગ્ય નથી. ૯૬૫. આ નિક્ષેપનિયુક્તિ પણ નિર્યુક્તિ અનુગમમાં કહી છે એ સત્ય છે, પરંતુ આ નિર્યુક્તિ નિક્ષેપ માત્ર જ છે. ૯૬પ. પ્રશ્ન :- જો નિર્યુક્તિમાંજ વ્યાખ્યાન કહેવું યોગ્ય છે એમ આપ કહેતા હો તો અહીં પ્રસ્તુતમાં જે નિક્ષેપ છે, તે પણે આગળ નિર્યુક્તિઅનુગમમાં નિક્ષેપ નિયુક્તિ પણે કહેવાશે. કેમકે અનુગમ બે પ્રકારે છે, સૂત્રોનુગમ અને નિર્યુક્તિઅનુગમ. તેમાં નિર્યુક્તિઅનુગમ ત્રણ પ્રકારે છે. નિક્ષેપનિર્યુક્તિઅનુગમ, ઉપોદ્ધાતનિયુક્તિ અનુગમ, અને સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ અનુગમ. વળી આજ ગ્રંથમાં પૂર્વે આવશ્યક આદિ પદોનું નામ સ્થાપનાદિ નિક્ષેપદ્વારા જે વ્યાખ્યાન કર્યું છે, તે નિક્ષેપનિર્યુક્તિઅનુગમ કહ્યો છે, વળી સૂત્રાલાપકનું એ વ્યાખ્યાન કરતાં નિક્ષેપના પ્રસ્તાવમાં કહેવાશે. આ પ્રમાણે આ સામાયિકનો નિક્ષેપ પણ નિક્ષેપ નિયુક્તિપણે અનુગામની વખતે કહેવાશે, માટે એમ કેમ કહો છો કે અહીં વ્યાખ્યાન નહિ કરાય પણ નિર્યુક્તિમાં જ કરાશે ? ઉત્તર :- સત્ય છે, કે આ નિક્ષેપ લક્ષણ નિર્યુક્તિ છે, પરંતુ આ નિયુક્તિ નામસ્થાપનાદિ નિક્ષેપનું માત્ર સ્વરૂપ નિરૂપણ કરવા માટે જ છે, વિશેષાર્થ નિરૂપણ કરવા માટે નથી, અને ત્યાં નિર્યુક્તિમાં તો (ગા. ૨૮૦૪) શબ્દાર્થ આદિનો વિચાર કરાશે. ૯૬૬. આ વિષય અતિગહન છે, તેથી સંક્ષેપમાં વિશેષવિષયવિભાગનું તાત્પર્ય કહીએ છીએ કે - निक्रोवमित्तमिह वा, अत्थवियारो य नासजुत्तीए । सद्दगओ य निरुत्ते, सुत्तप्फासम्मि सुत्तगओ ॥९६७॥ અહીં* નિક્ષેપ માત્ર કહ્યો છે, અને અર્થવિચાર તો ન્યાસનિર્યુક્તિમાં કહેવાશે, તથા શબ્દ સંબંધી વિચાર ઉપોદ્દાત નિર્યુક્તિમાં અને સૂત્રગત વિચાર સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં કહેવાશે. ૯૬૭. આ નિક્ષેપઢારમાં સામાયિકના કેવળ નામાદિ-નિક્ષેપ જ કહેલ છે, અને નિક્ષેપ નિર્યુક્તિમાં તેના અર્થનું માત્ર નિરૂપણ કરાશે, ઉપોદઘાતનિયુક્તિમાં સામાયિકનો શબ્દાર્થ કહેવાશે અને સૂત્રસ્પર્શિકનિર્યુક્તિમાં સૂત્રાલાપદ્વારા આવેલ સામાયિકના અર્થનો વિચાર કરાશે. માત્ર સામાયિકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy