SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] કૃષ્ન અકૃત્સ્ન સ્કંધ. [૩૬૯ ઉત્કૃષ્ટ અનન્તાણુવાળો સ્કંધ અકૃત્સ્નસ્કંધ કહેવાય, તેની અપેક્ષાએ બે પરમાણુએ ન્યૂનસ્કંધ અકૃત્સ્નસ્કંધ કહેવાય. એ પ્રમાણે એકેક પરમાણુની હાનીએ છેક ત્રણ પ્રદેશવાળા સ્કંધની અપેક્ષાએ બે પ્રદેશવાળો સ્કંધ અકૃત્સ્નસ્કંધ જાણવો. આથી જ પૂર્વોક્ત અચિત્તસ્કંધથી આનો ભેદ છે. પૂર્વે બે પ્રદેશીસ્કંધથી આરંભીને સંપૂર્ણ ઉત્કૃષ્ટ અનન્તાણુકસ્કંધ પર્યન્તના સર્વ સ્કંધોને સામાન્યથી અચિત્તસ્કંધરૂપે કહેલ છે, અને અહીં સંપૂર્ણ ઉત્કૃષ્ટ અનન્તાણુવાળો એક સ્કંધ ગ્રહણ નથી કર્યો, કેમકે તે પરિપૂર્ણ હોવાથી કૃત્સ્નસ્કંધ છે. સચિત્ત-અચિત્તરૂપ અનેક દ્રવ્યોથી બનેલા સ્કંધ તે અનેકદ્રવ્યસ્કંધ છે, તે દેશાપચિતોપચિત અશ્વહસ્તિઆદિ સ્કંધ જાણવો. એટલે કે નખ-દન્ત કેશાદિરૂપ પ્રદેશમાં જીવપ્રદેશથી રહિત તે દેશાપચિત, અને પીઠ-હૃદય-બાહુ ઊરઆદિ રૂપ પ્રદેશમાં જીવપ્રદેશથી વ્યાપ્ત તે દેશોપચિત. એ પ્રમાણે વિશિષ્ટ એક પરિણામથી પરિણત સચેતન-અચતેન દેશના સમુદાયાત્મક એવો જે અશ્વાદિ સ્કંધ તે અનેકદ્રવ્યસ્કંધ જાણવો. પ્રશ્ન :- જો એમ હોય તો કૃત્સ્નસંધથી આમાં શો તફાવત રહ્યો ? ઉત્તર :- ત્યાં અશ્વગજઆદિના જેટલા અવયવો જીવપ્રદેશોવડે વ્યાપ્ત હોય, તેટલા અવયવોને જ કૃત્સ્નસ્કંધપણે કહેલ છે, પણ જીવ પ્રદેશોથી અવ્યાપ્ત નખ આદિ અવયવોની અપેક્ષા સહિત નથી કહેલ, અને અહીં તો નખાદિ સહિત બીજા અવયવો જે જીવપ્રદેશથી વ્યાપ્ત હોય તે ઉભયને અનેકદ્રવ્યસ્કંધ કહેલ છે. એટલે કૃત્સ્નસ્કંધ અને અનેકદ્રવ્યસ્કંધમાં તફાવત છે. પ્રશ્ન :- તો પૂર્વોક્ત મિશ્રસંધથી આનો શો તફાવત છે ? ઉત્તર :- અશ્વ-હસ્તિઆદિ જીવો અને ખડ્ગઆદિ અજીવો ભિન્ન ભિન્ન છતાં પણ તેમના સમૂહની કલ્પના વડે તેમને મિશ્રસ્કંધપણું કહ્યું છે. અને અહીં તો જીવપ્રયોગથી વિશિષ્ટ એક પરિણામે પરિણત સચેતન-અચેતન દ્રવ્યોને અનેકદ્રવ્યસ્કંધપણું કહેલ છે. એટલો એ મિશ્રમાં ને આ અનેકદ્રવ્યમાં તફાવત છે. આજ કારણથી મૂળ ગાથામાં પણ ‘વિસેસો” એમ કહીને કૃત્સ્નસ્કંધથી અને મિશ્રસ્કંધથી આ અનેકદ્રવ્યસ્કંધનો ભેદ છે, એમ કહ્યું છે. ૮૯૭. એ પ્રમાણે દ્રવ્યસ્કંધ કહ્યો, હવે ભાવસ્કંધ કહે છે. नोआगमओ भावम्मि, नाण - किरिया - गुणसमूहो ॥८९८ ।। સ્કંધ પદાર્થોપયોગ પરિણામ તે આગમથી ભાવસ્કંધ છે. અને જ્ઞાન-ક્રિયા-તથા ગુણનો સમૂહ તે નોઆગમથી ભાવસ્કંધ છે. ૮૯૯. आगमभावक्खंधो, खंधपयत्थोवओगपरिणामो । અહીં આવશ્યકશ્રુતસ્કંધના ઉપયોગરૂપ અવબોધ તે જ્ઞાન જાણવું, અને ક્રિયા તે તેમાં કહેલી સામાચારી તથા મૂળ-ઉત્તર ગુણ ભેદથી ભિન્ન તે ગુણો જાણવા. એ ત્રણેનો સમુદાય તે જ્ઞાનક્રિયા અને ગુણનો સમૂહ જાણવો. ૮૯૮. એજ જ્ઞાન-ક્રિયા-અને ગુણનો સમૂહ જણાવે છે. ૧. અપૂર્ણ, ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy