SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨] નોઆગમથી ભાવભૃતનું નિરૂપણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અર્થ રાખી અંડજ-વોડજ-કીટજવાળજ અને વલ્કજ, એમ જે આગમમાં પાંચ પ્રકારે સૂત્ર કહ્યું છે, તે પણ સૂત્રના નામના સરખાપણાથી જુદું ઉભયવ્યતિરિક્તદ્રવ્ય શ્રુત કહેવાય છે. તેમાં ચૌરિદ્રિય જાતિના કીડાઓએ બનાવેલ કોશેટામાંથી થયેલું સૂત્ર અંડજ સૂત્ર કહેવાય છે. તેને લોકમાં ચટકસૂત્ર (રેશમ) કહે છે. કપાસથી થયેલું સૂત્ર તે વોંડજ સૂત્ર કહેવાય છે. કીટજ સૂત્ર પાંચ પ્રકારે છે. પટ્ટ-મલય-અશુંક-ચીનાશુંક અને કૃમિરાગ. આ પાંચે પટસૂત્ર કહેવાય છે. વાળજ (વાળથી થયેલું) સૂત્ર પણ પાંચ પ્રકારે છે. ઘેટાનાઉનનું-ઉંટના ઉનનું- મૃગના વાળનું- ઉંદરના વાળનું અને ઘેટાદિના ઉનથી ઉગરેલી કિટ્ટિથી ઉત્પન્ન થયેલું સૂત્ર કિષ્ક્રિશ અથવા ઘેટાદિક ઉનના બે ત્રણના સંયોગથી ઉત્પન્ન થયેલું કિટ્રિશ; અશ્વાદિના વાળનું તથા વલ્કજ સૂત્ર તે શણ વિગેરેનું સૂત્ર. એ સર્વ ઉભય વ્યતિરિક્ત દ્રવ્યકૃત (સૂત્ર) જાણવું. ભાવ શ્રુત બે પ્રકારે છે - આગમથી અને નોઆગમથી. તેમાં શ્રુતના ઉપયોગયુક્ત જે શ્રુતનો ભણનાર હોય તે આગમથી ભાવ શ્રત છે. અહીં ઉપયોગવાન જે જીવ તે ઉપયોગથી અભિન્ન હોવાથી તે જીવને જ ઉપચાર વડે ભાવ ગ્રુત કહેલ છે. ખરી રીતે તો શ્રુતનો ઉપયોગ એજ ભાવકૃત છે. ૮૭૮. હવે નોઆગમથી ભાવશ્રુત કહે છે. __नोआगमओ भावे, लोइय लोउत्तरं पुरामिहियं । सम्मत्तपरिग्गहियं, सम्मसुयं मिच्छमियरंति ॥८७९॥ નોઆગમથી ભાવશ્રુત લૌકિક (ભારત-રામાયણાદિ) અને લોકોત્તર (અંગપ્રવિષ્ટાદિ) એમ બે પ્રકારે છે, તે પહેલાં (શ્રુતજ્ઞાનાધિકારે) કહ્યાં છે. એ સર્વ સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ હોય તો સમ્યફ શ્રુત છે, અને મિથ્યાદ્રષ્ટિએ ગ્રહણ કરેલ હોય તો મિથ્યાશ્રુત છે. ૮૭૯. અહીં શિષ્ય પૂછે છે કે - आगमओ भावसुयं, जुत्तं नोआगमे कहं होइ ? । जइ नागमो न सुत्तं, अह सुत्तमणागमो किह णु ? ॥८८०।। આગમથી ભાવશ્રુત તો યુક્ત છે, પણ નોઆગમમાં ભાવશ્રુત કેમ ઘટે ? (કારણ કે નોશબ્દ નિષેધાર્થે હોવાથી) જો આગમનો અભાવ છે તો શ્રત નહિ, અને જો શ્રત છે તો આગમનો અભાવ કેમ ? આ તો મારી મા વાંઝણીની પેઠે વિરૂદ્ધ છે. ૮૮૦. उवओगो जम्मत्ते, तं तं जइ वागमोऽवसेसं तु । नोआगमोत्ति एवं, किमणुवउत्तम्मि दब्बसुयं ? ॥८८१॥ જેટલા જેટલા શ્રુતનો ઉપયોગ, તે તે આગમથી ભાવકૃત છે, અને બાકીનું (ઉપયોગ રહિત) નોઆગમથી ભાવશ્રુત છે, જો એમ કહેતા હો તો અનુપયોગમાં દ્રવ્યશ્રુત કેમ કહ્યું? ૮૮૧. જે જે શ્રુતના જાણનારાઓને વિશે જેને જેને શ્રુતનો ઉપયોગ હોય તે તે જાણનારનું આગમથી ભાવકૃત છે, અને શેષ ઉપયોગ રહિત હોય તેનું શ્રુત નોઆગમથી ભાવઠ્ઠત છે. એમ જો કહેતા હો તો ૮૭૭મી ગાથામાં “શ્રતોપયોગ રહિત વક્તા તે આગમથી દ્રવ્યદ્ભુત છે” એમ જે પૂર્વે ઉપયોગ રહિત વક્તાને દ્રવ્યશ્રુત કહ્યો છે, તેનું શું થશે ? કારણ કે તે વિષયને તો તમે અહીં હમણાં નોઆગમથી ભાવશ્રુત કહો છો, તેથી તે દ્રવ્યશ્રુત વિષય રહિત થશે. ૮૮૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy